________________
પૈસાનો હિસાબ મેળવતા રહેવામાં કલાકોના કલાકો અને દિવસોના દિવસો વીતાવી રહેતા માણસને એટલું જ સૂચન કરવાનું મન થાય છે કે ‘દોસ્ત ! પૈસાનો હિસાબ મેળવતા રહેવાની સાથે પૈસા મેળવવા જતાં તેં શું-શું ગુમાવ્યું છે એનો પણ હિસાબ તારે મેળવતા રહેવા જેવું છે. બની શકે કે એ હિસાબ મેળવતાં મેળવતાં પૈસાનો હિસાબ મેળવતા રહેવાની તારી વૃત્તિ પર પૂર્ણવિરામ જ મુકાઈ જાય. કારણ કે પૈસા મેળવવા જતાં પ્રેમ, પ્રસન્નતા અને પવિત્રતા લગભગ તો ગુમાવવા જ પડ્યા હોય છે !
મંથરાની સલાહને કૈકેયીએ જો વજન ન આપ્યું હોત અને બિભીષણની સલાહને રાવણે જો વજન આપ્યું હોત તો કદાચ રામાયણનું સર્જન જ ન થયું હોત ! | મનના અભિપ્રાયને વજન આપવાનું હું જો બંધ કરી દઉં અને અંતઃકરણના અવાજને અનુસરવાનું હું જો ચાલુ કરી દઉં તો મારા જીવનમાં આજે જે મહાભારત સર્જાયું છે એ બંધ થઈને જ રહે.
૯૪