SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને અધર્મ વચ્ચેના તફાવતને સમજવા માટેનું સાવ સીધુંસાદું ગણિત આ છે કે અનંત . ભૂતકાળમાં મને જે પણ ગમ્યું છે એ બધું જ અધર્મ છે અને મને જે ગમ્યું જ નથી એ બધું ધર્મ છે. મને વાસના ગમી છે, ક્રોધ ગમ્યો છે, લોભ ગમ્યો છે, છળ-કપટ ગમ્યા છે. આ બધું જ અધર્મ છે. મને ઉદારતા નથી ગમી. સંતોષ નથી ગમ્યો. સરળતા નથી ગમી. પવિત્રતા નથી ગમી. આ બધું જ ધર્મ છે. આ જીવનમાં હું રુચિ બદલાવી શકીશ ખરો ? હૉસ્પિટલમાં જઈને ક્યારેક તપાસ કરીલેવા જેવી છે કે ત્યાં ખાઉધરાના કેસ વધારે હોય છે કે તપસ્વીઓના કેસ વધારે હોય છે ? | ગાંડાઓની હૉંસ્પિટલમાં જઈને એકવાર તપાસ કરી લેવા જેવી છે કે ત્યાં સંસ્કારહીન સાક્ષરોની સંખ્યા વધુ હોય છે કે સંસ્કારવાન નિરક્ષરોની ? તપાસમાં જે તારણ આવશે એ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો.
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy