________________
ગાંડો ડાહ્યાને સમજી નથી શકતો. શિષ્ય ગુરુને સમજી નથી શકતો. વિદ્યાર્થી શિક્ષકને સમજી નથી શકતો. ભક્ત ભગવાને નથી સમજી શકતો. આ વાસ્તવિકતા તો આપણા ખ્યાલમાં છે જ પરંતુ કમજોર શરીર મનની બદમાસીને નથી સમજી શકતું, બદમાસ મન અંતઃકરણની નિર્દોષતાને નથી સમજી શકતું અને નિર્દોષ અંતઃ કરણ આત્માની નિર્વિકારદશાને સમજી નથી શકતું એ ય આપણે સતત ખ્યાલમાં રાખવા જેવું છે.
=
= ‘વેરનો બદલો લેવો જ જોઈએ’ એવી. સતત સલાહ આપ્યા રહેતા મનની સામે અંતઃકરણે એક નવી શરત મૂકી, ‘ઉપકારનો બદલો વાળ્યા વિના ન જ રહેવું જોઈએ? ને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અંતઃકરણે મૂકેલ શરતને અમલી બનાવવાનું શરૂ કર્યું એ જ પળે મનની સલાહ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.