SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો અને લાખો તીડો આજે વિરાટ વડલા પર રહેલા ગરુડરાજના નિવાસસ્થાન તરફ આવવા પોતપોતાના સ્થાનેથી નીકળી ગયા હતા. રસ્તામાં જે પણ પંખીઓ મળ્યા - કાબર ને તેતર, કોયલ ને કબૂતર, કાગડો ને ચકલી - સમયસર વડલા પાસે આવી ગયા પછી લાખો તીડો વતી ૫૦ તીડો ગરુડરાજ પાસે ગયા અને એમના હાથમાં આવેદનપત્ર પકડાવી દીધું. જેમાં લખ્યું હતું કે ‘અમે માત્ર અમારું પેટ ભરવા ખેતરમાં વાવેલા અનાજના દાણા ખાઈએ છીએ અને આ માણસજાત દવાઓ છાંટી છાંટીને અમને ખતમ કરી નાખવાના પ્રયાસો કરે છે જ્યારે આ માણસજાત પોતે જમીનના ટુકડાના લોભે અથવા તો શસ્ત્રોના બજારને ગરમ રાખવાની દુષ્ટ ગણતરીએ હજારો-લાખો માનવીઓને બૉમ્બવર્ષા કરીને ખતમ કરી રહી છે છતાં એને કોઈ પૂછનાર નથી. આપના તરફથી અમને જો લીલી ઝંડી મળી જાય તો અમે શસ્ત્રોનાં તમામ કારખાનાંઓમાં ઘૂસી જઈને બૉમ્બ વગેરે તમામ શસ્ત્રોને નકામાં બનાવી દેવા માગીએ છીએ. માણસજાતની ખોપરી કદાચ ઠેકાણે આવી જાય.
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy