________________
એક એક બુંદમાં પૈસા અને રાજકારણ એ હદે પ્રસરી ગયા છે કે આ વર્ષે હું ત્યાંથી પાછો ફરી શકું તેમ નથી. ' વિરાજ, આ હતો એ અબોપતિએ મારી સલાહનો મને આપેલો જવાબ !
તું શું એમ માની બેઠો છે કે સમાધિ મરણ એ કોક વૃક્ષ પર ઊગેલું ફળ છે કે જેને હું કૂદકો લગાવીને મેળવી લઈશ ! રામ રામ કરજે !
ટાંકીમાં જો ગટરનું પાણી જ ભર્યું છે તો નળવાટે તને ગંગાજળ નથી જ મળવાનું ! આખી જિંદગી જે પદાર્થો પાછળ જ વેડફી નાખી છે તો અંતસમયે તને પરમાત્મા યાદ નથી જ આવવાના ! ધર્મધ્યાનમાં તારા મનને તું સ્થિર નથી જ રાખી શકવાનો !
વાંચી છે આ પંક્તિઓ !
‘દોડતા’તા ત્યારે લાગતું તું એવું કે મારા જેવો કોઈ સમર્થ નથી -
સહેજ નવરા પડીને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે જે દોડ્યા એનો કોઈ અર્થ નહોતો !'
છેલ્લી અવસ્થામાં કે છેલ્લા સમયે આ અનુભૂતિ તારી પણ કદાચ થશે તો ય એ વખતે તું કરી શું શકવાનો ? સાવધાન !
૭૮