________________
४०
ખબર નથી પડતી કે સંસારનાં બધાં જ કાર્યો શુભ મૂહુર્તમાં કરવા છતાં ય એ કાર્યોમાં મને સફળતા કેમ નથી મળતી ? ક્યારેક સફળતા મળી પણ જાય છે તો ય એ સફળતા પાછળ રાખેલ આશા સફળ કેમ નથી બનતી ?
દીપક, રેતીમાંથી તેલ કાઢવાની પ્રવૃત્તિ તું શુભ મૂહુર્તમાં શરૂ કરે તો ય તને લાગે છે ખરું કે એ પ્રવૃત્તિમાં તને સફળતા મળીને જ રહે ? ઝાંઝવાનાં જળ પાછળ દોડીને પ્યાસ છિપાવી
લેવાની પ્રવૃત્તિ કોક હરણ શુભ મૂહૂર્તમાં જ કરે તો ય તને લાગે છે ખરું કે એ પ્રવૃત્તિમાં હરણને સફળતા મળીને જ રહે ? કોક વ્યક્તિ શુભ મુહર્રે સર્પના મુખમાંથી અમૃત મેળવવાના પ્રયાસો શરૂ કરે તો તને લાગે છે ખરું કે એ વ્યક્તિને એના એ પ્રયાસમાં સફળતા મળીને જ રહે ?
શું કહું તને ?
અહીં પદાર્થ મેળવવામાં સફળતા તો ગુંડાને ય મળી જાય છે અને શેતાનને ય મળી જાય છે. વ્યભિચારીને ય મળી જાય છે અને ખૂનીને ય મળી જાય છે પરંતુ એ પદાર્થપ્રાપ્તિ પાછળ સુખ-મસ્તી-શાંતિ પ્રસન્નતા વગેરે મળી જવાની આશા તો કોઈની ય સફળ બનતી નથી અને બની નથી. કાલ
પદાર્થમાં સુખ છે જ નહીં. ભ્રમણાના શિકાર બનીને તમે એના ભોગવટામાં સુખ માનતા રહો એ જુદી વાત છે પણ સત્ય એ છે કે પદાર્થમાં સુખ છે જ નહીં. જે પણ સુખ છે એ આત્મામાં જ છે.
અલબત્ત, અનંત ભવોની રખડપટ્ટી પછી પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર માટે મન તૈયાર થવું મુશ્કેલ છે. પૂછોને
૭૯