________________
FિITLTLTLTLTLTLT/TIT ૩૯ IT||T|TET|T[ T[ T[T[ T[
ધર્મ અત્યારે જ કરી લેવાને બદલે છેલ્લી અવસ્થામાં અથવા તો છેલ્લા સમયમાં જ કરી લેવાના વિકલ્પમાં વાંધો શું છે? આમે ય ન
આપણે ત્યાં મરણને જ સમાધિમય રાખવા પર વધુ ભાર અપાયો વિ - છે ને?
IIIIIIIIIIIIIII
વિરાજ, છેલ્લા સ્ટેશને જ તને ખ્યાલ આવે કે જે ગાડીમાં મેં મુસાફરી કરી છે એ ગાડી ખોટી જ છે, તો એ વખતે તું કરે શું? છે આ પ્રશ્નનો તારી પાસે કોઈ જવાબ? ' તો જવાબ આપ.
જીવનના અંત સમયે જ તને ખ્યાલ આવે કે “આખી જિંદગી જે પદાર્થો પાછળ મેં વેડફી નાખી એ પદાર્થો તો સાવ પોકળ જ હતા, બોગસ અને ક્ષણભંગુર જ હતા, મારા મરણને સુધારવાની એનામાં કોઈ તાકાત જ નથી. મારા પરલોકને સદ્ધર બનાવી દેવાની એનામાં કોઈ ક્ષમતા જ નથી...અરર ! મેં આ ભૂલ ક્યાં કરી ?'
તો એ વખતે તું કરી પણ શું શકે ? તારી ગલત પદાર્થયાત્રાના સંસ્કારોને તું નામશેષ કરી શકે? પદાર્થયાત્રાને જ પ્રાધાન્ય આપી દીધાની કરેલ ભૂલને તું સુધારી શકે ?
તું કદાચ વિશ્વાસ નહીં કરે પણ એક અબજોપતિ ખ્યાતનામ વ્યક્તિને એમના જીવનની પાછલી અવસ્થામાં મેં સલાહ આપી હતી કે તમારા દીકરાઓ જ્યારે ધંધાને સાચવી શકવા સક્ષમ બની જ ગયા છે ત્યારે તમે ધંધામાંથી નિવૃત્તિ લઈ લો તો વાંધો શું છે?
મહારાજ સાહેબ, આપની વાત તો સાચી છે પરંતુ મારી મનઃસ્થિતિની આપને વાત કરું ? આખી જિંદગી પૈસા પાછળ અને રાજકારણ પાછળ જ મેં વીતાવી છે. મારા લોહીના