________________
ઉત્સાહહીન બની જાય ત્યારે ? જીવવાની આશા મન ગુમાવી બેઠું હોય ત્યારે ?
સમક્તિ,
તું બુદ્ધિમાન છે ને ? જવાબ માગી લે મન પાસે કે ધર્મ મારે જો આજે ન કરવાનો હોય તો કરવાનો છે ક્યારે ?' અને આ પ્રશ્નનો જવાબ આપવામાં મન જો ગલ્લાં-તલ્લાં કરવા લાગે તો મનને ચૂપ કરી દઈને ય તું ધર્મસેવનના માર્ગે પૂર ઝડપે આગળ વધતો જા.
શું કહું તને ?
‘ભોગ’ જો સમયને જ બંધાયેલા છે તો ‘ધર્મયોગ’ પણ સમયને જ બંધાયેલા છે. એંશી વરસની વયે પેટ છે સાલમપાક પચાવી શકવાનું નથી તો એંશી વરસની વયે પેટ માસખમણની તપશ્ચર્યા ય કરવા દેવાનું નથી.
ટૂંકમાં, નિર્ણય તારે કરી લેવાનો છે. ધર્મને શક્તિનો કાળ આપવો કે ધર્મ માટે અશક્તિનો કાળ ફાળવી રાખવો ? ભોગસેવન આજે અને ધર્મસેવન આવતીકાલે' મનની આ વિચારધારાને તું સ્વીકારી બેઠો તો યાદ રાખજે, તારા જીવનમાં ધર્મસેવન માટેની આવતી કાલે ક્યારેય આવવાની નથી. તારા આત્માનું ભાવિ છે
૭૦