________________
અધ્યાત્મમાર્ગથી ટ્યુત થઈને ગમે તેવા અધ્યાત્મના કહેવાતા ભ્રામક માર્ગ પર ચડી જાય એવી પૂરેપૂરી સંભાવનાવાળા આ યુગમાં તું અધ્યાત્મ માર્ગ પર આજે ટકી ગયો છે એ બદલ તને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાનું મન થાય છે.
અલબત્ત, મારી તને એ વણમાગી સલાહ છે કે જે અધ્યાત્મના માર્ગ પર પાપનિવૃત્તિ પર જોર ન હોય, અંતઃકરણની પવિત્રતા અકબંધ જાળવી રાખવાની વાત નહોય, પ્રેમદૃષ્ટિ અને પરલોકદૃષ્ટિ ટકાવી રાખવાની વાત ન હોય, વ્યવહારશુદ્ધિ પર જોર ન હોય, જીવોની સાચી ઓળખ ન હોય અને અંતિમ લક્ષ મુક્તિ ન હોય એ અધ્યાત્મમાર્ગ સામે તું જીવનમાં ક્યારેય નજર પણ નહીં નાખતો.
યાદ રાખજે, મંજિલ તો માર્ગના આધારે જ આવે છે. કદમ જો ગલત માર્ગ પર જ પડી ગયા છે તો સાચી મંજિલ આવવાની કોઈ જ શક્યતા નથી અને કદમ જો સમ્યફ માર્ગ પર જ છે તો મંજિલ નહીં આવે ત્યાં સુધી ગલત માર્ગ પર ભટકી જવાની તો કોઈ જ સંભાવના નથી. ચિન્મય, તું ક્યાંય ભટકી નથી ગયો એ બદલ તને પુનઃ પુનઃ ધન્યવાદ !