________________
ધાર કે આજે તો તું વરસે ૧૦,000 રૂપિયા સત્કાર્યમાં અચૂક ખરચે જ છે, પરમાત્માનાં મંદિરમાં ૧ કલાકનો સમય તો તું વ્યતીત કરે જ છે. બાર મહિને એક વારતો તીર્થયાત્રાએ તું જાય જ છે, અઠવાડિયાની ૧ સામાયિક તો તું કરે જ છે, રવિવારે તો અષ્ટપ્રકારી પૂજા કરે જ છે, પાંચ તિથિ બ્રહ્મચર્યનું પાલન તો તું કરે જ છે.
આ અને આનાં જેવી બીજી જે પણ ધર્મારાધનાઓ તારા જીવનમાં આજે ચાલુ છે એટલી ધર્મારાધનાઓ તો તારા જીવનમાં ચાલુ રહેશે જ એટલું પ્રતિજ્ઞાબદ્ધ નક્કી કરી દેવાની તારી તૈયારી છે ખરી?
એટલું જ કહીશ કે જીવનમાં ધર્મારાધનાઓ વધારવા અચૂક પ્રયત્નશીલ બનજે પણ કાળની વિષમતા અને વિલાસિતાને આંખ સામે રાખી ચાલુ ધર્મારાધનાઓમાં કડાકો નબોલાઈ જાય એ બાબતમાં તો તું એકદમ સાવધ અને જાગ્રત બની જજે.