________________
T
૨
કાળ માત્ર વિષમ જ હોત તો તો બહુ વાંધો નહોતો પણ કાળ વિષમની સાથે વિલાસી પણ છે. પાપથી દૂર થવાના અને ધર્મની નજીક જવાના પ્રયાસમાં ધારી સફળતા મળતી જ નથી. કરવું શું?
સન્થેન, જીવનમાં પાી ધટાડવાની વાત તું પછી કરજે. આજે તારા જીવનમાં જે પણ પાપો ચાલુ છે, જેટલાં પણ પાપો ચાલુ છે એ પાપોમાં હવે વધારો તો નથી જ કરવો એટલું નક્કી કરી દેવા તું તૈયાર છે ખરો ?
ધાર કે આજે તું રાતના ૧૦ વાગ્યા સુધી ટી.વી. જોઈ રહ્યો છે. જિંદગીભર રાતના ૧૦ વાગ્યા પછી ટી.વી. ન જ જોવાની પ્રતિજ્ઞા કરવા હું તૈયાર છે ખરો ?
ધાર કે આજની તારીખે મહિનામાં બે પિક્ચર જોઈ રહ્યો છે તું. બેથી વધુ પિક્ચર ન જ જોવાનો નિયમ લેવા તારું મન તૈયાર છે ખરું ?
ધાર કે આજની વિધિએ નું રાતનો ૧૧ વાગ્યા સુધી જમી રહ્યો છે. જીવનભર માટે રાતના ૧૧ વાગ્યા પછીનું રાત્રિભોજન બંધ કરી દેવાની તારી તૈયારી છે ખરી ?
એટલુ જ કહીશ કે પાપથી મુક્ત થવાની કે પાપથી પાછા ફરવાની વાત તું પછી કરજે. પહેલાં તો આજના પાપમાં હવે એક પણ પાપનો ઉમેરો ન થાય એ બાબતમાં દૃઢ પ્રતિજ્ઞ બની જા.
એ જ ન્યાયે.
જીવનમાં ધર્મ વધારવાની વાત તું પછી કરજે. મનને પૂછી લે. આજે તારા જીવનમાં જે પણ ધર્મ ચાલુ છે એમાં ઘટાડો કરવા એ બિલકુલ તૈયાર નથી એટલું નક્કી ખરું ?
૩