________________
જવાબ આપ.
જો તારા કરતાં વધુ પાપીને તારા કરતાં વધુ સુખી જોઈને તને અંતરમાં વેદના થાય છે અને તને એમ લાગે છે કે કુદરતમાં શું આવું અંધેર જ ચાલતું હશે?
તારા કરતાં વધુ ધર્મીને, તારા કરતાં વધુ દુઃખી જોઈને ય તને એવી જ વેદના થાય છે એમ ને?
દર્શન, એટલું જ કહીશ તને કે મનની આ બદમાશીના શરણે તું ભૂલેચૂકે ચાલ્યો ન જતો. મન હકીકતમાં તને ધર્મમાર્ગે જવા દેવા નથી માંગતું, ધર્મ પ્રત્યેની તારી શ્રદ્ધાને સ્થિર થવા દેવા નથી માગતું, “ધર્મ પ્રબળ તાકાતપ્રદ છે' પ્રભુના એ વચન પાછળ તને પાગલ બનવા દેવા નથી માગતું.
બાકી, એક વાત આંખ સામે રાખજે કે આજે તારે ઉપવાસ હોવા છતાં ય તારા શરીરમાં ર્તિ હોઈ શકે છે કારણ કે ગઈકાલે તે પેટમાં સાલમપાક પધરાવ્યો હતો. આનો તાત્પર્યાર્થ તું સમજી જજે.