________________
તનાવદાયક પુરવાર થયાનો તારો અનુભવ પણ સો ટકા સાચો જ છે. આમાં વિરોધાભાસ ભલે દેખાતો હોય પણ વિરોધાભાસ જેવું કાંઈ જ નથી.
કારણ કે,
તારો આજનો ધર્મ નવા વ્યાયામની કળાઓ છે, એ તને કષ્ટદાયક લાગવાનો જ છે પરંતુ એ છતાં ય તું જો એ ધર્મને લાંબા સમય સુધી પકડી જ રાખીશ તો આવતી કાલે એ ધર્મ તારા માટે વિશ્રામનું કારણ બનીને જ રહેશે.
તૈજસ,
મારો પોતાનો આ જ અનુભવ છે. સંયમજીવનના શરૂઆતના દિવસો મારા માટે ય કષ્ટદાયક જ હતા પણ આજે ? પ્રસન્નતાના એ ગગનમાં મારું મન અત્યારે ઊડી રહ્યું છે કે જે પ્રસન્નતા કદાચ ચક્રવર્તીના અનુભવનો વિષય પન્ન નહીં બનતી હોય ! કારણ ? આ જ. ધર્મ મેં સતત પકડી જ રાખ્યો. ધર્મારાધનાનો રસ મેં સતત જાળવી જ રાખ્યો. મારી તને પણ આ જ સલાહ છે. ધર્મક્ષેત્રના તારા અત્યારના અનુભવને વજન આપ્યા વિના ધર્મ નું ચાલુ જ રાખ. ન્યાલ થઈ જઈશ.
૩