________________
ધર્મ આત્માને વિશ્રામમાં લઈ જાય છે એવું સાંભળીને ધર્મમાર્ગે પ્રવૃત્ત તો થયો પરંતુ કહેવા દો મને કે ધર્મ મારા માટે કષ્ટકારક અને તનાવદાયક જ પુરવાર થયો છે. મેં સાંભળ્યું એ ખોટું કે મારો અનુભવ ખોટો છે?
તૈજસ, તારા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં મારે તને એક એવી વાત જણાવવી છે કે જે વાત સમજાતાં જ તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે.
જવાબ આપ.
વ્યાયામ માણસ શા માટે કરે છે? શરીરને થકવી નાખવા કે તંદુરસ્ત રાખવા ? તારો આ જ જવાબ હશે કે શરીરને તંદુરસ્ત રાખવા !
હવે બીજો જવાબ આપ.
નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે કે તાજગી આપે છે? જવાબ તારો આ જ હશે કે નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે. આ તો પ્રશ્ન એ છે કે વ્યાયામ જો શરીરને થકવી જ નાખે છે તો પછી માણસ વ્યાયામ કરે છે શું કામ? એટલા માટે કે એ જ વ્યાયામ જો સતત ચાલુ જ રહે છે તો લાંબે ગાળે એ વ્યાયામ શરીર માટે લાભદાયક પુરવાર થઈને જ રહે છે.
ટૂંકમાં, નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે પણ એ જ વ્યાયામ જો અભ્યાસરૂપ બની જાય છે તો અભ્યાસરૂપ બની. જતો એ વ્યાયામ શરીર માટે તાજગીદાયક પુરવાર થઈને જ રહે છે.
‘ધર્મ આત્માને વિશ્રામમાં લઈ જાય છે... જ્ઞાનીનું આ વચન જો સો ટકા સાચું છે તો ધર્મ તારા માટે કષ્ટકારક અને
પણ છે.
આ
૩૫