________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સાધુ : જંગમ તીર્થ :
આજે સાધુ પદની આરાધના કરવાની છે ને? સાધુ એટલે જંગમ તીર્થ તીર્થ બે પ્રકારનાં : જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ.
સ્થાવર તીર્થ-એક સ્થાન પર સ્થિર હોય છે. જેમ પાલિતાણા. તમારે ત્યાં યાત્રા માટે જવું પડે!
જંગમ તીર્થ એટલે હરતું ફરતું તીર્થ સાધુ તે જંગમ તીર્થ. તે તીર્થ તો તમારા ઘેર આવે!
તીર્થસ્વરૂપ સાધુ ભગવંતોની મન-વચન-કાયાથી આરાધના કરી, આત્મા પર લાગેલાં કર્મોનો ક્ષય કરવાનો છે.
સાધુ-પદની આરાધના સાધુ બનવાના સંકલ્પથી કરજો. સાધુતાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સિદ્ધિ પ્રાપ્ત કરવી છે ને? તો સાધુતામય જીવન જીવ્યા વિના નહીં જ ચાલે.
For Private And Personal Use Only