________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
પ્રીત કિયે દુઃખ હોય તે એકદમ ઊભી થઈ અને કિનારા તરફ દોડવા લાગી. દૂરથી એણે જોયું તો કિનારે કોઈ માણસો ન હતા કે કોઈ હોડી પણ ન હતી. કિનારો સૂમસામ હતો. છતાં એ દોડતી જ રહી. કિનારે આવીને ઊભી.
વહાણો દૂર દૂર જતાં હતાં. ક્ષિતિજ પર માત્ર વહાણોનાં ટપકાં દેખાતા હતાં.
‘તમે મને ત્યજી ગયા. આ યક્ષદ્વીપ પર મને એકલી-અટૂલી મૂકીને ચાલ્યા ગયા... યક્ષના આહાર માટે...! સારું કર્યું મારા નાથ!”
બાલ્યકાળની નિર્દોષતા... પ્રેમભર્યો રોષ. નિખાલસ પ્રેમ.. આ કંઈ તમે ન વિચાર્યું? મારા અસંખ્ય પ્રેમનીતરતા શબ્દો યાદ ન કર્યો? એક જ વારના મારા નાદાનિયતમાં બોલાયેલા એ શબ્દો યાદ કર્યા? યાદ રાખ્યા? હૃદયમાં સંઘરી રાખ્યા? અને એનો બદલો લેવા માટે મારી સાથે લગ્ન કર્યા? મને વિશ્વાસમાં લેવા માટે પ્રેમનું નાટક કર્યું?'
અમર! મારા અમર! ભલે, તું મને ત્યારથી જ... એ પ્રસંગ બન્યો ત્યારથી જ ધિક્કારતો હશે... પણ મેં તો તને ક્ષણેક્ષણ ચાહ્યો છે. મારા હૃદયમાં મારા આરાધ્યદેવ તરીકે તારી પ્રતિષ્ઠા કરી છે... ભલે તું મને ત્યજી ગયો... છતાં તું મારા હૃદયમાંથી દૂર નહીં થાય..
તારા માટે મેં કેવી ઊંચી કલ્પનાઓ બાંધી હતી? તારામાં મેં કેવા મહાન ગુણો જોયા હતા? તને મેં પ્રેમનો સાગર માન્યો હતો. મારી એ બધી જ કલ્પનાઓ ખોટી સિદ્ધ થઈ.
આ રીતે મારો ત્યાગ કર્યો. શા માટે ? તારા હાથે જો તેં મને ઝેરનો પ્યાલો પાયો હોત તો... હું તને મહાન માનત... એ ઝેર પીવામાં પણ મને આનંદ હોત... વિચારોના આવેગે તેને મુચ્છિત કરી દીધી..
0 0 0
For Private And Personal Use Only