________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
“નહીં રહે! “તે હું તમને નથી પૂછતી!” ‘કેમ? હું વિશિષ્ટ જ્ઞાની પુરુષ નથી?' ‘તમે પરોક્ષ જ્ઞાની છો, પ્રત્યક્ષ જ્ઞાની નથી!” છતાં કહ્યું કે જો આપણો મોક્ષ થવાનો હશે તો આ સંબંધ નહીં ટકે!” શાથી?”
આપણો સંબંધ રાગજન્ય છે. રાગ દશા હોય ત્યાં સુધી વીતરાગ દશા પ્રાપ્ત ન થાય! રાગ દશા જાય તો વીતરાગ દશા પ્રગટે!”
“એ વાત તદ્દન સાચી... ભલે, રાગ જાય અને વીતરાગતા આવે... પરંતુ રાગ જાય અને દ્વેષ ન આવી જવો જોઈએ... મારે આ કહેવું છે...”
રાગ હોય એટલે તેમાં તે આવવાનો જ! રાગ-દ્વેષ તો પાક્કા મિત્રો છે!”
એ બે તો વિરોધી ભાવ છે!” “છતાં એક વિના બીજાનું અસ્તિત્વ નથી!” રાગ-દ્વેષના અસ્તિત્વમાં પણ સંબંધ તો ટકે ને?' સંબંધ અખંડ ન રહે! સંસારમાં સંબંધો અનિત્ય છે.' “એક ભવમાં સંબંધ અખંડિત રહ્યાનાં દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં નથી મળતાં? નવ-નવ ભવો સુધી સંબંધ અખંડિત રહ્યાનાં દૃષ્ટાન્તો હું જાણું છું.' “તો તો આપણો સંબંધ પણ અખંડિત રહેશે!” “મારી તો અંતરની એ જ ઝંખના છે...” આ વિષમ સંસારમાં જીવાત્માની બધી ઝંખનાઓ સફળ થાય ખરી સુંદરી?” તમો તો જાણે અત્યારે મહાત્મા બનીને બોલી રહ્યા છો!” કારણ કે તને મહાત્માઓની વાણી વધુ ગમે છે!” એટલે મને ગમે એવું જ બોલવાનું ને!” હાસ્તો, સંબંધને અખંડિત રાખવા તારે પણ એવું બોલવાનું કે જે મને ગમતું હોય!”
એક-બીજાના ગમા-અણગમા જાણી લેવાના!' હા, હવે આપણને તો સૂઈ જવાનું ગમશે!”
૦ ૦ ૦.
For Private And Personal Use Only