SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ પ્રીત કિયે દુઃખ હોય પોતાના તરફ સુરસુંદરીને ટગર-ટગર જોતી જોઈને ધનવતી શરમાઈ ગઈ.. સુંદરીને પોતાના ખોળામાંથી અળગી કરતાં બોલી : ‘બેટી, દેતધાવન કરી લે, પછી આપણે સાથે જ દુગ્ધપાન કરીશું...' સુરસુંદરીએ દંતધાવન કર્યું. અને ઘનવતી સાથે દુષ્પમાન કર્યું. ધનવતીએ દુગ્ધપાન કરતાં કહ્યું: બેટી, તું રોજ પરમાત્મપૂજન કરે છે ને?” હા, મા!” સુરસુંદરીના મુખમાંથી સ્વાભાવિક જ મા' શબ્દ નીકળી ગયો... ધનવતી આ સંબોધન સાંભળીને હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ... બેટી, તું મને હમેશાં “મા” કહીને જ બોલાવજે. મારો અમર પણ મને આ જ રીતે બોલાવે છે...' સુરસુંદરી તો આ સ્નેહમૂર્તિના સાંનિધ્યમાં મૌન જ થઈ ગઈ... એને બોલવાના શબ્દો ન જડ્યા.. હા, હું એમ કહેતી હતી કે આપણે બંને સાથે જ પરમાત્મપૂજન કરવા જઈશું... તને ગમશે ને?” ખૂબ ગમશે મા, મને તો તું જ ગમી ગઈ છે. એક ક્ષણ પણ દૂર ન જાઉં!” આપણે સ્નાનાદિથી પરવારીએ.” સાસુ અને પુત્રવધૂ! જાણે મા અને દીકરી! સ્નેહનો સેતુ બંધાઈ ગયો. પોતાના સુખનો વિચાર જ નહીં... મા દીકરીના સુખનો વિચાર કરે છે. દીકરી માતાના સુખને વધારવા ઇચ્છે છે. પ્રેમ એ જ બંનેનું સુખ! પૂજન... ભોજન.. સ્નેહી-મિલન... આદિમાં જ દિવસ પૂરો થઈ ગયો... જ્યારે સૂર્ય પૂર્વમાંથી પશ્ચિમમાં ગયો... અને ક્ષિતિજમાં ડૂબી ગયો... કંઈ સમજાયું જ નહીં. દિપકોની રોશનીથી હવેલી ઝગમગી ઊઠી. એક-એક ખંડમાં રત્નદીપકો પ્રગટી ઊઠ્યા. ધનવતીએ સુંદરીને એના શયનખંડમાં મોકલી... ચાલી જતી સુરસુંદરી પાછળ ધનવતી સ્વગત બોલી ઊઠી : “ખરેખર, મારું જીવન કલ્પવૃક્ષ બની ગયું છે!' આ જ સરળ અને ભોળા હૃદયની ગંભીર ભૂલ થતી હોય છે! એ સુખને જીવનનો પર્યાય માની બેસે છે... જ્યારે એને કોઈ તનમનનું એકાદ મનગમતું સુખ મળી જાય છે... એ જીવનને કલ્પવૃક્ષ માની લે છે! જ્યારે કલ્પવૃક્ષનો For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy