________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
પ્રીત કિયે દુઃખ હોય સ્વભાવની સમાનતા હોય તો જ તેમનો ગૃહસંસાર સુખમય બને. તેમનો ધર્મપુરુષાર્થ નિર્વિઘ્ન બને અને જીવનયાત્રા નિરાપદ બને.'
રિપુમદન અને રતિસુંદરીમાં આ બધી સમાનતા હતી. માટે તેઓનું ગૃહસ્થજીવન નિરાપદ હતું. તેમનો ધર્મપુરુષાર્થ નિર્વિઘ્ન હતો અને સુરસુંદરીનું આંતરબાહ્ય ઘડતર તેઓ શ્રેષ્ઠ કોટિનું કરી શક્યાં હતાં.
આજે તેઓ ચિન્તામગ્ન બન્યાં હતાં. હવે તેઓ સુરસુંદરીના લગ્નમાં વિલંબ કરવા નહોતા ઇચ્છતાં. સુરસુંદરીની વય તો લગ્ન માટે સુયોગ્ય હતી જ, પરંતુ તેનું યૌવન એની વય કરતાં પણ વિશેષ મુખરિત બન્યું હતું. આવી યુવાવસ્થામાં પ્રવેશેલી કન્યાને પિતૃગૃહે રખાય નહીં – આ વાતમાં રાજા રાણી બંને સંમત હતાં, પરંતુ શ્વસુરગૃહ મળતું ન હતું!
નાથ, આપ ચાહો છો એવી બધી જ યોગ્યતાવાળો વર ન મળે તો પછી એક-બે યોગ્યતા ન હોય, પરંતુ બીજી યોગ્યતા હોય તેવો કુમાર પસંદ કરો
તો?'
“તો સુંદરી દુઃખી થાય! કઈ યોગ્યતાને ગૌણ કરવી તે જ મને નથી સમજાતું.” ‘છેવટે, સુખ-દુઃખનો આધાર તો જીવનમાં પોતાનાં જ શુભાશુભ કર્મ છે ને?”
તમારી વાત સાચી છે દેવી, છતાં દીકરીને એના પ્રારબ્ધ પર છોડી તો ન દેવાય! આપણાથી શક્ય એટલો બધો જ પ્રયત્ન કરી લેવો જોઈએ.'
પણ એવો વર ન જ મળતો હોય તો?” રતિસુંદરીએ પૂછ્યું. મળે છે... એવો એક સુયોગ્ય વર!” “કોણ?' તે રાજકુમાર નથી! રાજવંશ નથી!” તો?' એ છે શ્રેષ્ઠીપુત્ર... વણિકવંશનો છે.' રતિસુંદરી વિચારમાં પડી ગઈ. તેણે રાજાની સામે જોયું ને પૂછ્યું. તેનામાં આપ ચાહો છો તેવી બધી જ યોગ્યતા છે?'
હા, એનામાં બધી જ યોગ્યતાઓનો સમન્વય થયેલો છે અને મેં મારી દૃષ્ટિએ જોયેલો છે. તમે પણ જોયો છે અને સુંદરીએ પણ જોયેલો છે!'
કોણ?”
For Private And Personal Use Only