________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
૩૬
એક દિવસ હું અમરકુમાર અને સુરસુંદરીની પરીક્ષા રાજસભામાં લેવા ઇચ્છું છું... મને તેમણે ગઈ રાત્રે વાત કરી હતી. કદાચ વાત પાકા પાયે કરવા માટે આજે શ્રેષ્ઠીને અહીં બોલાવ્યા હોય! શ્રેષ્ઠીએ અમરકુમા૨ને પૂછી પણ લીધું હોય...'
સુરસુંદરીને અમરકુમારની વાત સત્ય પ્રતીત થઈ. એ મૌન રહી... એને આ વાત ન સમજાઈ કે ‘શા માટે પિતાજી અમારા બંનેની પરીક્ષા રાજસભામાં લેવા તૈયાર થયા છે? વળી, અમરકુમારની પરીક્ષા લેવાનું એમને શું પ્રયોજન હશે?'
જમીને એ પોતાના શયનખંડમાં પહોંચી ગઈ.
સુરસુંદરીના હૃદયમાં અમરકુમાર તરફનો પ્રેમ વૃદ્ધિ પામી રહ્યો હતો. દિનપ્રતિદિન અમરકુમાર તરફનું આકર્ષણ વધી રહ્યું હતું. અલબત્ત, ક્યારેય તે બંનેએ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન નહોતું કર્યું.
અમરકુમારના હૈયામાં પણ સુરસુંદરી વસી ગયેલી હતી, પરંતુ એ સમજતો હતો કે ‘સુરસુંદરી રાજકુમારી છે... અને હું શ્રેષ્ઠપુત્ર છું... અમારાં બેનાં લગ્ન સંભવિત જ નથી. સુરસુંદરી તો કોઈ રાજકુમારને જ પરણશે.’
સુરસુંદરીની પણ આ જ ધારણા હતી. ‘હું અમરને ગમે તેટલો ચાહું છું... પરંતુ મારાં લગ્ન તો કોઈ રાજકુમાર સાથે જ થશે... રાજકુમારી શ્રેષ્ઠીપુત્ર સાથે કેવી રીતે પરણી શકે? ઓ ભગવાન! હું કોઈ શ્રેષ્ઠી કન્યા હોત તો મારું સ્વપ્ન સાકાર બની શકત... હા, પરંતુ છેવટે નિર્ણાયક તો મારાં પોતાનાં પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ જ છે ને?’
વિચારોમાં ખોવાયેલી સુરસુંદરી નિદ્રાધીન થઈ ગઈ.
For Private And Personal Use Only