________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
પ્રીત કિયે દુઃખ હોય અમરકુમારે કહ્યું: ‘ગુરુદેવ, મને પણ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું છે... આપે કહેલી વાતો યથાર્થ છે. સત્ય છે.”
સુરસુંદરીએ ગદ્ગદ્ સ્વરે કહ્યું: “હે કપાનિધિ, આ ભીષણ ભવસાગરમાં મોહવશ... અજ્ઞાનવશ અનેક પાપાચરણ કરનારા એવાં અમારો આપ ઉદ્ધાર કરો. હવે નથી રહેવું આ સંસારમાં નથી જોઈતાં સંસારનાં સુખો નથી જોઈતા વૈભવો.. બસ, ગુરુદેવ! આપનાં ચરણોમાં અમને શરણ આપો... આપ જેવા પરમજ્ઞાની ગુરુદેવ મળ્યા પછી.. અમે શું સંસાર સાગરમાં ડૂબીશ?”
અમરકુમાર ભાવવિભોર હૈયે બોલી ઊઠ્યો: ‘ગુરુદેવ, આપ નિષ્કારણ વત્સલ છો... ભવસાગર તરવા માટે જહાજ છો... અમને તારો ગુરુદેવ..'
જ્ઞાનધર મહામુનિએ કહ્યું: “હે પુણ્યશાળી દંપતી, ભવસાગરથી તરવાનો એક જ ઉપાય છે. અને તે છે ચારિત્ર ધર્મ! સર્વવિરતિમય સંયમ ધર્મ! એ ધર્મનો સ્વીકાર કરી ભવ-સાગરને તરી જાઓ...”
ગુરુદેવ! અમારા પર કૃપા કરી અમને એ ચારિત્રધર્મ પ્રદાન કરો. અમને હવે આપનું જ શરણ છે...' અમરકુમારે મહામુનિનાં ચરણોમાં પોતાનું મસ્તક ઢાળી દીધું.
સુરસુંદરીના મનમાં એક વિચાર આવી ગયો. તેણે ગુરુદેવને કહ્યું: “હે કૃપાવંત, આપ થોડા દિવસ અહીં ચંપાનગરીમાં સ્થિરતા કરવાની કૃપા કરો... અમારાં માતાપિતાની અનુમતિ મેળવીને અમે શીધ્ર આપનાં ચરણે આવીશું.'
મુનિરાજે સુરસુંદરીની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.
રાજા-રાણી, શેઠ-શેઠાણી અને અમરકુમાર-સુરસુંદરી... વગેરે સહુ નગરમાં પાછાં આવ્યાં. રાજા-રાણીનાં હૃદય અને શેઠ-શેઠાણીનાં હૃદય ભારે થયાં હતાં. અમરકુમાર અને સુરસુંદરીનો ચારિત્રમાર્ગે જવાનો સંકલ્પ સાંભળીને તેમનાં હૃદય વ્યાકુલ બની ગયાં હતાં.
સુરસુંદરી-અમરકુમાર ભોજનાદિથી પરવારીને શયનખંડમાં ભેગાં થયાં. સુરસુંદરીએ કહ્યું: “નાથ, આપણા પરમ પુણ્યોદયથી જ આવા અવધિજ્ઞાની ગુરુદેવ આપણને મળી ગયા છે... આ અવસરને આપણે વધાવી જ લેવાનો છે... પરંતુ એક કામ સત્વરે કરવું જોઈએ...” “શું?' અમરકુમારને ચિંતા થઈ.
ગુણમંજરીને શીધ્ર બોલાવી લેવી જોઈએ. એના મનનું સમાધાન કરીને પછી જ આપણે સંયમપંથે જઈશું.'
For Private And Personal Use Only