________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રીત કિયે દુઃખ હોય શિવસુખના સાધક સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરવા માટે નિરંતર ઉજમાળ બનજે! સર્વ કુવિકલ્પોને ત્યજી દઈ.. આ નમસ્કારમંત્ર પ્રત્યે આદરવાળી બનજે !”
સાધ્વીજીનો ધીર-ગંભીર વાણી-પ્રવાહ અસ્મલિત ગતિએ વહેતો રહ્યો.. સુરસુંદરીના અંતસ્તલને એ પ્રવાહે ભીનું ભીનું કરી નાખ્યું. સુરસુંદરી બોલી ઊઠી:
ગુરુમાતા! અદભુત વર્ણન કર્યું આપે! અપૂર્વ તત્ત્વ સમજાવ્યું આપે! અહો, કેવો અચિજ્ય પ્રભાવશાળી છે નમસ્કાર મહામંત્ર! આજે ખરેખર હું ધન્ય બની, ગઈ! હે પરમોપકારિણી, મને એવી પ્રતિજ્ઞા આપો કે હું પ્રતિદિન ૧૦૮ વાર આ મહામંત્રનું સ્મરણ કરીશ.” સાધ્વીજીએ સુરસુંદરીને પ્રતિજ્ઞા આપી.
સુરસુંદરીએ પુનઃ વંદના કરી, કુશળપૃચ્છા કરી. અન્ય સાધ્વીવૃન્દને ભાવપૂર્વક વંદના કરી... અને ઉલ્લસિત ચિત્તે પોતાના મહેલમાં આવી.
હજુ એની સ્મૃતિમાં... કલ્પનામાં સાધ્વીજીની સૌમ્ય છતાં ભવ્ય મુખાકૃતિ તરવરે છે! હજુ એના કાનોમાં સાધ્વીજીની વાણીના સૂર ગુંજ્યા કરે છે.. નવકારમંત્રનું ભાવસ્મરણ કરતી એ ધ્યાનમગ્ન થઈ ગઈ...
For Private And Personal Use Only