________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
પ્રીત કિયે દુ:ખ હોય
‘તમને ભૂલું? આ ભવમાં તો નહીં, જનમ-જનમ તમને ન ભૂલું. તમે તો મારા હ્રદયમંદિરના દેવ છો... રૂપ બદલાયું તેથી શું થયું? મેં તમારા આત્મા સાથે પ્રેમ કર્યો છે... મારો પ્રેમ શાશ્વત રહેશે...'
‘તો મારી વાત કબૂલ ને?'
‘તમે કહો ને હું ન માનું-એવું બને ખરું? ત્રણ કાળમાંય ન બને!’ ગુણમંજરી સુરસુંદરીને ભેટી પડી... સુરસુંદરીની આંખોમાંથી હર્ષનાં આંસુ ટપકવા લાગ્યાં.
For Private And Personal Use Only