________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે ખ હોય
૨૪૫
‘મહારાજા, એનું શું વર્ણન કરું? એનામાં અગણ્ય ગુણો હતા... અને રૂપે રંભા જેવી હતી... મારા મુખે પત્નીની પ્રશંસા ન શોભે. પરંતુ...'
‘તમને તમારી એ પત્ની ક્યારેક યાદ આવતી હશે!'
ક્ષણે...ક્ષણે યાદ આવે છે... એનો ત્યાગ કર્યા પછી કોઈ રાત એવી નથી વીતી મહારાજા કે એને યાદ કરીને મેં આંસુ ન સાર્યાં હોય...'
‘તો... શું એને તમારા પ્રત્યે ઓછો પ્રેમ હતો?'
‘પ્રેમ? એ ચકોરી હતી, હું ચકોર હતો... અમારી પ્રીતિ અભેદ્ય હતી, અચ્છેઘ હતી...’
‘તો પછી કેમ એ પ્રીત તૂટી ગઈ?’
'પ્રીત નથી તૂટી... પ્રીત અખંડ છે...’
‘એનું પ્રમાણ?’
મેં બીજી કોઈ પણ કન્યા સાથે લગ્ન નહીં કરવાનો સંકલ્પ કર્યો છે.' ‘તે શું તમે બાર વર્ષમાં કોઈ સ્ત્રી સાથે લગ્ન નથી કર્યાં?'
‘કર્યાં નથી ને કરવાનો નથી...’
‘તો તો તમારી પ્રીત સાચી છે અમરકુમાર, એક વાત તમને પૂછું: માની લો કે કોઈ માણસ તમને તમારી પત્નીના સમાચાર આપે છે-શું નામ હતું તમારી પત્નીનું?’
'સુરસુંદરી!'
‘ધણું સુંદર નામ!-‘એ સુરસુંદરી જીવંત છે અને અમુક જગાએ છે...' તો તમે શું કરો?’
‘મહારાજા, હવે શા માટે એવું બધું પૂછીને મને વધુ દુ:ખી કરો છો! એ જીવંત હોઈ જ ન શકે. એ યક્ષદ્વીપ ઉપર રાત રહેનાર... જીવતો રહ્યો જ નથી...'
‘છતાં તમારી પત્નીના પુણ્યના બળે, એના સતીત્વના પ્રતાપે, એના ધર્મના પ્રભાવે જીવંત રહી હોય તો?’
‘તો હું મારું ૫૨મ સૌભાગ્ય માનું... એ જ્યાં હોય ત્યાં પહોંચી જાઉં... ને એનાં ચરણોમાં મસ્તક મૂકીને ક્ષમાયાચના કરું...'
‘તમે પોતે અત્યારે દુઃખમાં છો એટલે આટલી બધી નમ્રતા બતાવો છોએમ હું માનું તો?’
‘મારી વાત તમે સાચી માની શકો નહીં, કારણ કે હું તમારો અપરાધી છું...'
For Private And Personal Use Only