________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
પ્રીત કિયે દુઃખ હોય માલતી, મહારાજા ખૂબ ઉદાર છે નહીં?” તે તમારી તોલે તો ન જ આવે! તું તો મારા જ ગુણ ગાવાની, જા, મારે તારી સાથે વાત નથી કરવી...”
એમ કહીને વિમલયશ ઊઠીને પોતાના ખંડમાં આવી ગયો. માલતી પાછળ જ આવી ને બોલી:
હું એ મહેલ જોઈ આવું? ત્યાં બધી સુવિધાઓ પણ ગોઠવીને આવું ને?'
ભલે, અને એ પણ જોતી આવજે કે રાજમહેલ અને આપણા મહેલ વચ્ચે કેટલું અંતર છે.'
માલતી ઊપડી રાજમહેલ અને વિમલયશ શુદ્ધ વસ્ત્ર પહેરીને શ્રી નવકારમંત્રનો જાપ કરવા બેસી ગયો.
જાપ-ધ્યાન પૂર્ણ કરીને વિમલયશ ઉદ્યાનમાં જઈને પલાશ વૃક્ષની છાયામાં જઈને બેઠો.
પ્રેમીનો પ્રેમ જ્યારે પ્રેમના બળે પોતાની સિદ્ધિ મેળવવા તત્પર બને છે ત્યારે એ કૃતનિશ્ચયી યોદ્ધાનું રૂપ ધારણ કરે છે... વિમલયશે આકાશ સામે જોયું.. આકાશમાં સહસ્રરશ્મિ તપી રહ્યો હતો... પણ અચાનક એક કાળી વાદળી આવી... ને સૂર્યને ઢાંકી દીધો!
વિમલયશને આ વાદળીનો આકાર રત્નજીના વિમાન જેવો લાગ્યો. ને તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા... “ભાઈ...! તમારું વિમાન નીચે ઉતારો...”
માલતીનો પતિ નજીકમાં જ છોડને પાણી પાઈ રહ્યો હતો. વિમલયશનો અવાજ સાંભળીને દોડી આવ્યો... “શું થયું કુમાર? કંઈ જોઈએ તમારે ?'
વિમલયશ હસી પડ્યો, “ના, ના, કંઈ નથી થયું. કંઈ જોઈતું નથી... માળી ચાલ્યો ગયો... વિમલયશ સૂરસંગીતનગરની સ્મૃતિયાત્રાએ ઊપડી ગયો...”
0
0
0
For Private And Personal Use Only