________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
પ્રીત કિયે દુઃખ હોય કહ્યું કે “બહેન થોડા દિવસ જ રહેવાની છે. માટે જેટલી ભક્તિ કરવી હોય એટલી કરી લેજો.... એટલે અમારા પેટમાં તો સો મણનો ધ્રાસકો પડ્યો..” બીજી રાણી વિદ્યુતૂભા બોલી ઊઠી.
બહેન, અમે તો તમારા ભાઈને કંઈ નહીં કહી શકીએ. એ જે કરતા હશે તે યોગ્ય જ કરતા હશે. અમને એમના પર સંપૂર્ણ વિશ્વાસ છે. પરંતુ તમે એમને કહેજો કે ઉતાવળ ન કરે...” “હું તો અહીંથી જવાનું નામ જ નથી લેવાની!”
એમ ન ચાલે! સાસરે તો જવું જ પડે... સ્ત્રી તો પોતાના ઘરમાં જ શોભે... આ તો અમે એવો રાગ બાંધી બેઠાં છીએ કે તમારા વિના અમને એક ક્ષણ પણ ન ગમે!” ચોથી રવિપ્રભાએ કહ્યું.
ભાભી, મને પણ તમારા વિયોગની કલ્પના દુઃખી કરે છે. પરંતુ આ સંસારમાં કોઈ સંયોગ શાશ્વત નથી... સંયોગ પછી વિયોગ આવે જ છે... એમ વિચાર કરીને મનને મનાવું છું. આ જીવનમાં તમે ક્યારેય પણ ભુલાશો નહીં...'
‘તમારા ભાઈ એક બાજુ તમને થોડા દિવસમાં વિદાય આપવાની વાત કરે છે અને બીજી બાજુ રડ્યા કરે છે... અમને વાત કરતાં કરતાંય...' ચારેય રાણીઓ રડી પડી. સુરસુંદરી પણ ગદ્ગદ્ થઈ ગઈ.
અમને એ ચિંતા થાય છે કે તમને મૂકી આવ્યા પછી એ રડ્યા જ કરશે... એમનું દુ:ખ અમારાથી..”
ખંડમાં ગમગીની છવાઈ ગઈ. આશ્વાસનનો કોઈ અર્થ નહોતો. વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા સિવાય બીજો કોઈ માર્ગ ન હતો.
નેહઘેલાં હૈયાંના ભાગ્યમાં દુઃખ વેદના અને વિષાદ જ લખાયેલાં હોય છે. સ્નેહ સંયોગ ઝંખે છે. અને સંયોગ ક્ષણિક જ હોય છે! વિયોગના પથ્થર પર માથાં પછાડી પછાડીને સ્નેહ કારમું રુદન કરે છે.
માટે “પ્રીત ન કરશો કોઈ...” એમ જ્ઞાની પુરુષો કહે છે.
૦
૦
૦
For Private And Personal Use Only