________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
પ્રીત કિયે દુઃખ હોય
રાણીએ ચોથું ખાતું ખોલ્યું.... મહારાજા પ્રગટ થયા!
સૌનાં મોઢાં વીલાં પડી ગયાં હતાં. રાણીની આંખમાંથી રોષના અંગારા વરસતા હતા.. રાજાએ પુરોહિત વગેરેને રવાના કરીને રાણીની સમક્ષ પોતાનો અપરાધ કબૂલી લીધો.
શ્રીમતીને બહુમાનપૂર્વક રાજમહેલમાં બોલાવીને, ક્ષમા માગી, તેને ઉત્તમ વસ્ત્રાલંકારોથી વિભૂષિત કરી.
જ્યારે શ્રેષ્ઠી શ્રીદત્ત પરદેશથી આવ્યો ત્યારે શ્રીમતીએ બધી વાત કરી.. બંને પતિ-પત્ની ખૂબ હસ્યાં!
સુરસુંદરીએ વાર્તા પૂર્ણ કરી. “બસ, સ્ત્રી તો આવી શ્રીમતી જેવી હોવી જોઈએ!” ચારેય રાણીઓ બોલી
ઊઠી.
હવે ભોજનનો સમય થઈ ગયો છે... મારા ભાઈ રાહ જોતા બેઠા હશે!' “ચાલો.. ચાલો... આજે તો ભોજન ખૂબ ભાવશે. વાર્તાની જેમ!'
૦
૦
૦
For Private And Personal Use Only