________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૮
પ્રીત કિયે દુ:ખ હોય
‘મહારાજા, ગુપ્ત વાતો ચાર કાન સુધી જ ગુપ્ત રહે છે... છ કાને ન જવી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ.’
‘આ કૂબડો આપણો અત્યંત વિશ્વસનીય છે. એના કાને પડેલી વાત ગુપ્ત જ રહેશે...'
‘ભલે ગુપ્ત રહે, પરંતુ ક્યારેક...’
‘ચિંતા ન કરો...’ રાજાએ કૂબડાને દૂર ન કર્યો... મહામંત્રી બીજી આડીઅવળી વાતો કરીને ચાલ્યા ગયા.
એક દિવસ એક યોગીપુરુષ રાજસભામાં આવ્યો. એ સિદ્ધ માંત્રિક હતો, રાજાની સેવા-ભક્તિથી પ્રસન્ન થઈને તેણે રાજાને ‘પરકાયપ્રવેશ' ની વિદ્યા આપી, મંત્ર આપીને યોગી ચાલ્યો ગયો.
રાજા પાસે પેલો કૂબડો તો બેઠેલો જ હતો. તેણે યોગીની વાત સાંભળી હતી. રાજા રોજ મંત્રજાપ બોલીને કરતો હતો. કૂબડો પણ એ મંત્ર સાંભળીને શીખી ગયો. રાજાને તો એના પર કોઈ શંકા હતી જ નહીં.
એક દિવસ રાજા અશ્વારૂઢ થઈને, સાથે કૂબડાને લઈને વનવિહાર કરવા ગયો. જંગલમાં એક મૃતદેહ પડેલો જોયો. કોઈ વિપ્રનો એ મૃતદેહ હતો. રાજાને ‘પરકાયપ્રવેશ' વિદ્યાનો પ્રયોગ કરવાનું મન થયું. તેણે કૂબડાને પૂછ્યું; ‘બોલ, મંત્રનો મહિમા તું સાચો માને છે કે નહીં?
‘નહીં, મહારાજા, હું મંત્ર-તંત્રમાં જરાય વિશ્વાસ કરતો નથી.’
તને પ્રત્યક્ષ મંત્રમહિમા બતાવું તો?'
‘તો તો માનવું જ પડે ને?’
તો લે મારો ઘોડો સાચવ. હું આ મૃતદેહમાં પ્રવેશ કરીશ! એ મૃતદેહ જીવંત થઈ જશે...’
‘અને આપના દેહનું શું થશે?'
‘એ મૃતદેહની જેમ પડ્યો રહેશે...'
‘પછી?’
‘પછી પુન: હું મારા દેહમાં પ્રવેશ કરી દઈશ... એટલે આ વિપ્રનો દેહ પાછો મૃતદેહ થઈ જશે! મડદું થઈ જશે...'
૨ાજા ઘોડા પરથી નીચે ઊતર્યો. ઘોડો કૂબડાને સોંપ્યો... અને તેણે મંત્રનું સ્મરણ કર્યું. તેના આત્માએ વિપ્રના મૃતદેહમાં પ્રવેશ કરી દીધો. વિપ્ર-દેહ
For Private And Personal Use Only