________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
પ્રીત કિયે દુઃખ હોય 'તેં આ બધું અધ્યયન કોની પાસે કર્યું હતું? રત્નજીએ પૂછ્યું. “એક સાધ્વીજી પાસે. એમનું નામ સુવ્રતા.”
જો નીચે, આ વારુણીવર સમુદ્ર છે... આ સમુદ્રનું પાણી જે પીએ તેને નશો ચઢ!'
સુરસુંદરી એ શાંત સાગરને જોઈ રહી.. ન ભરતી, ન ઓટ! ન કોઈ સામુદ્રિક તોફાન!
હવે પછી આવશે ક્ષીરવર દ્વીપ... અને તે પછી આવશે ક્ષીરવર સમુદ્ર.'
હા, ક્ષીરોદધિ સમુદ્રનાં પાણી તો દેવલોકના દેવ તીર્થંકર પરમાત્માના જન્માભિષેકમાં લઈ આવે છે. એ પાણી એટલે નર્યું દૂધ હશે!'
હા, એ સમુદ્રના પાણીનો રંગ દૂધ જેવો શેત હોય છે. માટે તો એનું નામ ક્ષીરોદધિ છે!”
આ આપણે ક્ષીરોદધિ ઉપર જ આવી ગયા! ખરેખર, પાણી દૂધ જેવું જ
હવે પછી એ દ્વીપ આવશે તેનું નામ છે વૃતવર દ્વીપ.” અને તેના પછી આવશે ધૃતવર સમુદ્ર! જે નામનો દ્વીપ તે નામનો સમુદ્ર!” વિમાન અમાપ ગતિથી ઊડી રહ્યું હતું. લાખો યોજના દ્વીપ-સમુદ્રને વાતવાતમાં ઓળંગી રહ્યું હતું. ધૃતવર દીપ અને વૃતવર સમુદ્ર પસાર કરીને ઇસુવર દ્વીપ ઉપરથી વિમાન વહી રહ્યું હતું.
ઇવર સમુદ્રનાં પાણી સાચે જ ઇક્ષરસ જેવાં મધુર હોય છે અને તેથી જ આ સમુદ્રનું નામ ઇસુવર સમુદ્ર છે.' રત્નજટી બોલ્યો.
સર્વજ્ઞ વીતરાગ ભગવંત આ બધું પૂર્ણજ્ઞાનથી દૃષ્ટિથી જોતા હોય છેકેવું યથાર્થ જ્ઞાન!'
હવે આવશે નંદીશ્વર દ્વીપ! દેવોનું અને વિદ્યાધરોનું શાશ્વત તીર્થ.” રત્નજીએ કહ્યું.
“હા, હા, જુઓ... દૂર દૂર જ ઉગ પહાડો દેખાય છે તે નંદીશ્વર દ્વીપ ઉપરના જ પહાડો હશે..” “હા, આપણે હવે પહોંચ્યા જ સમજ!”
મારું જીવન ધન્ય બની જશે...! હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું...”
For Private And Personal Use Only