________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીત કિયે દુઃખ હોય
‘સુરસુંદરી છે!’
‘તું સાચે જ સુંદરી છે!'
સુરસુંદરી સાવધાન થઈ ગઈ. ‘હું ફરીથી ફસાઈ છું...’ એનું ભાન થઈ ગયું. પરિચારિકા ભોજન લઈ આવી. સુરસુંદરી ક્ષુધાતુર તો થઈ જ હતી, તેણે ચુપચાપ ભોજન કરી લીધું.
‘તું બહુ શ્રમિત થઈ લાગે છે... માટે એક-બે પ્રહર વિશ્રામ કર.'
પરિચારિકાને કહ્યું: ‘આને અંતેપુરમાં લઈ જાઓ. પટરાણીના ખંડની પાસેના જ સુંદર ખંડમાં આને વિશ્રામ કરાવજે. એને કોઈ જ વિઘ્ન ન થાય તેની તકેદારી રાખજે.’
પરિચારિકાની સાથે સુરસુંદરી અંતેપુરમાં ચાલી ગઈ. પરિચારિકાએ રાજાની આજ્ઞા મુજબ ખંડ ખોલી આપ્યો અને આવશ્યક સુવિધાઓ ગોઠવી દીધી. સુરસુંદરીએ પરિચારિકાને કહ્યું:
‘હું બે પ્રહર સુધી વિશ્રામ કરીશ. ત્યાં સુંધી આ ખંડમાં કોઈ પણ નહીં આવી શકે. હું અંદરથી દ્વાર બંધ કરીશ.'
‘જેવી આપની આજ્ઞા,' પરિચારિકા ખંડમાંથી બહાર નીકળી ગઈ. સુરસુંદરી જમીન પર જ સૂઈ ગઈ.
રાજા મકરધ્વજે મનોમન નિર્ણય કરી લીધો. સુરસુંદરીને પટરાણી બનાવવાનો! પરંતુ પટરાણી મદનસેનાએ પરિચારિકાને બોલાવીને પૂછ્યું;
‘આ સ્ત્રી કોણ છે?'
‘હું ઓળખતી નથી.’
‘ક્યાંથી આવી છે?’
‘માછીમારોને મળી આવી હતી, તેઓ મહારાજાને ભેટ આપી ગયા છે.' ‘મહારાજાએ શું કહ્યું આ સ્ત્રીને?’
‘મેં કંઈ સાંભળ્યું નથી. સ્નાન-ભોજન કરાવીને તેને આ ખંડમાં વિશ્રામ કરવાની ગોઠવણ કરી છે.’
For Private And Personal Use Only
મદનસેનાએ સુરસુંદરીને જોઈ લીધી હતી. અંતેપુરમાં તેનો પ્રવેશ થયેલો જોઈ તે ચોંકી ઊઠી હતી. તે ચતુર હતી, વિચક્ષણ હતી. તેણે તુરત જ અનુમાન કરી લીધું: ‘મહારાજા આ સ્ત્રીને રાણી બનાવશે અને કદાચ તે માનીતી રાણી બની જાય... પુરુષ હમેશાં નવીનતાનો જ પૂજારી હોય છે.. આ નવી રાણી