________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પ્રીત કિયે દુખ હોય દિવસનો બીજો પ્રહર પૂર્ણ થયો હતો. ભોજનનો સમય થઈ ગયો હતો. દરવાજે ટકોરા પડ્યાં. સુરસુંદરીએ દ્વાર ખોલ્યું. પરિચારિકા ભોજનના થાળ સાથે ઊભી હતી. સુરસુંદરી સામે સ્મિત કરીને તેણે ખંડમાં પ્રવેશ કર્યો અને ભોજનનો થાળ પાટલા પર મૂક્યો. “મારે ભોજન નથી કરવું.”
અહીં જે કોઈ નવી સ્ત્રી આવે છે તે ભોજન કરવાની ના જ પાડે છે... ભોજન ન કરવાથી દુઃખ જવાનું છે? દુઃખ દૂર કરવા માટે તો ભોજન કરવું જોઈએ?
સુરસુંદરી પરિચારિકાની વાત સાંભળીને વિચારમાં પડી ગઈ. “આ સાચું કહે છે. અહીંથી છૂટવાનો ઉપાય વિચારવો જોઈએ, ભૂખ્યા પેટે કોઈ ઉપાય નહીં સૂઝે...” તેણે પરિચારિકા સામે જોઈને પૂછ્યું.
દુઃખને દૂર કરવાનો ઉપાય તું બતાવીશ મને?” “પહેલાં ભોજન કરી લો, પછી વાત કરો.'
સુરસુંદરીએ ભોજન કરી લીધું. પરિચારિકા સુરસુંદરીને જોતી રહી. ભોજન કરવાની એની રીતભાત જોતી રહી... પછી ધીમેથી બોલી :
“શું તમે કોઈ મોટા ઘરનાં છો?’ સુરસુંદરીએ માથું હલાવીને હા પાડી... પરિચારિકા ખાલી થાળ લઈને જતી રહી.
0
0
0
For Private And Personal Use Only