________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ્યાઓના છ પ્રકાર
પલ વિવેચન : એક ચિત્રકાર ભીંત ઉપર ચિત્ર બનાવે છે, તે તમે જોયું છે? ચિત્રકાર લાલ-પીળા અને વાદળી રંગોથી અને બીજા મિશ્ર રંગોથી સુંદર નયનરમ્ય ચિત્ર ભીંત ઉપર, કેનવાસ ઉપર કે રેક્મીન ઉપર બનાવે છે, તે તમે નિહાળ્યું છે? જો તમે ઉપર ઉપરથી જ જઈને ચાલતા થયા હશો તો તો તમે એ અંગે ચિંતન નહીં જ કર્યું હોય. શું તમારા મનમાં આ પ્રશન પેદા થયો હતો કે “આ લાલ-પીળા રંગો આ ભીંત ઉપર કે કેનવાસ ઉપર ટકશે કેવી રીતે? ભીંત ઉપર રંગાને ટકાવનારું , દીર્ધકાળ સુધી ટકાવનાર તત્ત્વ કર્યું છે? પાણી? ના, પાણીના સહારે રંગો દીર્ઘકાળ ટકતા નથી... પાણી સુકાઈ જાય એટલે રંગો ખરી પડે.... તો બીજું ક્યું તત્ત્વ હોઈ શકે? શ્લેષ! સરસ! ગુંદર રંગોમાં શ્લેષને ઘોળી નાંખવામાં આવે, સરસ ભેળવવામાં આવે કે એવો કોઈ પદાર્થ, કે જે રંગો અને ભીંત વચ્ચેનો સંબંધ દીર્ઘકાલીન બનાવી આપે, તેવો પદાર્થ મેળવીને રંગો ચિત્રકામમાં વપરાય, તો તે ચિત્ર ભીંત ઉપર લાંબો સમય ટકે.”
આત્મા ભીંત છે અને કર્મયુગલો રંગ છે. કર્મ-પગલોના રંગ એમ જ આત્માની ભીંત ઉપર ચોંટી જતા નથી; વચ્ચે કોઈ શ્લેષ જોઈએ! કોઈ ગુંદર જોઈએ! આત્મા સાથે કર્મયુગલોનો દીર્ઘકાલીન સંબંધ તો જ રહી શકે. તે ષ કહા કે ગુંદર કહો તે છે વેશ્યાઓ.
અમુક કર્મયુગલો આત્મા પર પચીસ વર્ષ ટકે છે ને અમુક કર્મપુદ્ગલો પાંચસો વર્ષ ટકે છે.... આ સમય-મર્યાદાનું નિયંત્રણ લેશ્યાઓ કરે છે ! અમુક જાતના રંગ ભીંત ઉપર એક-બે વર્ષ જ ટકે છે ને અમુક જાતના રંગ પચાસ કે સો વર્ષ સુધી ટકે છે - એ કોના કારણે? રંગોમાં ક્યો શ્લેષ... ક્યો ગુંદર વપરાયા છે-એના કારણે રંગો અલ્પકાળ કે દીર્ધકાળ ટકતા હોય છે.
આ છે વેશ્યાઓના બે ભેદ બતાવવામાં આવ્યા છે : શુભ લેશ્યા અને અશુભ લેશ્યા. કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કાપોત લેશ્યા અશુભ છે. તૈજસ લા, પદ્મ સંસ્થા અને શુકુલ લેણ્યા શુભ છે.
જ્યારે કર્મબંધમાં તીવ્ર પરિણામવાળી અશુભ લેશ્યાઓ ભળે છે ત્યારે કમાંની અતિ દીર્ધ સ્થિતિ કે જે અતિ દુઃખ આપનારી હોય છે, તે બંધાય છે. કર્મબંધમાં જ્યારે શુભ લેશ્યાઓ ભળે છે ત્યારે વિશુદ્ધ-તેમજ શુભ પરિણામવાળી. કર્મસ્થિતિ બંધાય છે.
લેશ્યાની પરિભાષા મહાનું પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કરી છે;
For Private And Personal Use Only