________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનકારનું વક્તવ્ય
प्रशमस्थेन येनेव कृता वैराग्यपद्धतिः।
तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ।। અજ્ઞાત ટીકાકારે આ લોકના માધ્યમથી વાચકશ્રેષ્ઠને નમસ્કાર કર્યો છે. હું પણ આ જ શ્લોકથી ભાવપૂર્ણ હૃદયે એ પૂર્વધર મહર્ષિનાં ચરણે નમસ્કાર કરું છું.
શ્રમણજીવનના શૈશવકાળમાં જ્યારે એક બાજુ સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓનું જ્ઞાન, પ્રકરણો, કર્મગ્રંથોનું જ્ઞાન અને ન્યાયદર્શન આદિ દર્શનનું જ્ઞાન પૂજ્ય ગુરુદેવોની કૃપાથી મળતું હતું. સાથે સાથે આંતરશાંતિ અને વૈરાગ્યપરિણતિ માટે “જ્ઞાનસાર', “પ્રશમરતિ', “અધ્યાત્મસાર' જેવા ઉત્તમ ગ્રંથો કંઠસ્થ કરતો હતું.
રાત્રિના સમયે એ કલો જ્યારે જ્ઞાનસાર', “પ્રશમરતિ', અને ભક્તપરિજ્ઞાપન્ના'નો અર્થચિંતન સાથે સ્વાધ્યાય કરતો ત્યારે કેટલો બધો આંતર આનંદ અનુભવતો હતો! વ્યાવહારિક જીવનના અનેક દ્વન્દ્રોની વચ્ચે... એ વખતે નિદ્ધ આત્માનંદની અનુભૂતિ થતી હતી. વર્ષો સુધી આ ત્રણ ગ્રંથોએ મારા મનને શાંતિ આપી છે, રસાયણ આપ્યું છે, અમૃત આપ્યું છે!
જ્ઞાનસાર! એ પ્રશમરતિ!
ભક્તપરિજ્ઞાપત્રા! મારા ભાવપ્રાણીને નવપલ્લવિત કરનારા આ ગ્રંથો. જ્યાં સુધી મારે સંસારમાં જન્મ લેવા પડે ત્યાં સુધી મળતા રહો, એમ મારું હૃદય ઝંખ્યા કરે છે. “જ્ઞાનસાર'ના રચયિતા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપા. શ્રી યશોવિજયજીને, પ્રશમરતિ'ના રચયિતા વાચકશ્રેષ્ઠ પુર્વધર મહર્ષિ ઉમાસ્વાતિને અને ભક્તપરિજ્ઞાપયગ્રા'ના રચયિતા શ્રમણભગવાન મહાવીરના શિષ્યરત્ન વીરભદ્ર મહર્ષિને મારી ક્રોડ ક્રોડ વંદના!
મને ઘણીવાર વિચાર આવતો કે “આ ગ્રંથો જો બધા સાધુઓ બધી સાધ્વીઓ કંઠસ્થ કરી લે. અર્થચિંતન કરે અને અનુપ્રેક્ષા કરે... તો સહુ શ્રમણ સંઘના પ્રાણ કેવા પુષ્ટ બને! સહુ સાધકોનાં મન કેવી અપૂર્વ શાન્તિ અનુભવે! શ્રમણજીવન લીધેલું સાર્થક બની જાય! મારા પરિચયમાં આવતા સાધુ-સાધ્વીને હું આ
For Private And Personal Use Only