________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ : કષાય : લેગ્યા
પ૭ જ્યાં સુધી આત્મા આ રીતે કર્મબંધ કરતો રહે ત્યાં સુધી સુખ-દુઃખનાં કન્ડ ચાલતાં જ રહે. સંસાર-પરિભ્રમણ ચાલતું જ રહે ત્યાં સુધી આત્મા સ્વસ્વરૂપમાં રમણતા કરી ન શકે. “કર્મબંધ” એટલા માટે સમજાવવામાં આવે છે કે જીવ એ કર્મબંધ' કરવાનું બંધ કરે!
યોગ : કષાય : લેડ્યા तत्र प्रदेशबन्धो योगात् तदनुभवनं कषायवशात् |
स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ।।३७ ।। અર્થ : તે ચાર પ્રકારના બંધમાં, પ્રદેશબંધ મન-વચન-કાયાના વાંગથી વધાય છે તે પ્રદેશબદ્ધ કર્મના અનુભવ કપાયવશ થાય છે અને સ્થિતિના પાકવિશેપ (જઘન્ય-મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ) વેશ્યાઓથી થાય છે.
વિવેચન : પ્રદેશબંધ એટલે આત્માના અસંખ્ય પ્રદેશોમાં જ્ઞાનાવરણ આદિ કર્મોનાં પગલોનું આવવું અને રહેવું. આત્મપ્રદેશોમાં કર્મયુગલો એવાં પ્રવેશી જાય છે કે રાગ-દ્વેષથી આવૃત્ત આત્માને એનો ખ્યાલ પણ નથી આવતો.
તો શું એ કર્મપુદ્ગલો એમ જ આત્મામાં આવી જાય છે? ના, કર્મપુદ્ગલો અકારણ આત્મામાં વહી આવતા નથી. જીવ મનથી વિચારો કરે છે; વચનથી બોલે છે અને કાયાથી-પાંચ ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે, માટે તે કર્મપુદ્ગલો આત્મામાં આવે છે ને રહે છે.
આ એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે..... પ્રતિક્ષણ..... પ્રતિસમય આ પ્રક્રિયા દરેક જીવાત્મામાં ચાલુ જ રહે છે.... મન-વચન અને કાયાનાં “મશીન ' નિરંતર ચાલુ રહે છે, માટે કર્મયુગલોનું આત્મામાં આવવું પણ નિરંતર ચાલે છે!
એ કર્મયુગલો ક્યાંથી આવીને આત્માને વળગે છે, એમ પૂછો છો? હા, કાર્મણવર્ગણાનાં અનંત-અનંત પુદ્ગલો આ સમગ્ર ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનંત-અનંત જીવો, એક ક્ષણનો ય “ઇન્ટરવલ' પાડ્યા વિના, પ્રતિક્ષણ અનંત-અનંત કર્મપુદ્ગલો ગ્રહણ કરે છે. છતાં એ કાર્મણવર્ગણાનો વિપુલ જથ્થો ક્યારેય ઓછો થતો નથી!
જેમ વિશ્વમાં કામણવર્ગણાનો અનંત “સ્ટોક' ભરેલો છે, તેમ બીજી પચીસ પ્રકારની (કુલ : ૨૬) વર્ગણાઓથી પણા લોક ભરેલો છે. ખરેખર, આ વિનામાં શું નથી!! આપણે જાણતા નથી એવું તો અપાર-અનંત ભરેલું છે.
મનથી-વચનથી કે કાયાથી કોઈપણ સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિ કરી કે આઠેય
For Private And Personal Use Only