________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ (૧) સ્થિતિબંધ : (૧) જ્ઞાનાવરણ : ૩૦ કડાકોડી સાગરોપમ; જઘન્યસ્થિતિ: અન્નહર્ત (૨) દર્શનાવરણ : , (૩) વેદનીય : ,,
૧૨ મુહુર્ત (૪) અંતરાય : ,
અન્તર્મુહૂર્ત (૫) મહનીય : ૭૦ કોડાકોડી સાગપમ (૬) નામ : ૨૦ કોડાકોડી સાગરોપમ ,, ૮ મુહુર્ત (૭) ગોત્ર : , (૮) આયુષ્ય : ૩૩ સાગરોપમ.
અન્તર્મુહુર્ત કર્મપુલોનું આત્મ-પ્રદેશોમાં અવસ્થાન તે સ્થિતિ’ કહેવાય. અર્થાત્ કર્મોનો આત્મામાં અવસ્થાનકાળનો નિર્ણય થવો તે સ્થિતિબંધ છે.
(૨) રસબંધ : શુભાશુભ કર્મના બંધ સમયે જ “રસ' બંધાય છે; તેનો વિપાક, નામકર્મનાં ગત્યાદિ સ્થાનમાં રહેલો જીવ અનુભવે છે. સુખ-દુઃખનાં તીવ્ર અથવા મંદ સંવેદનો આ રસબંધ પર નિર્ભર છે. તીવ્ર અધ્યવસાયથી શુભકર્મ બાંધ્યું છે તો એ કર્મનો ઉદય થતાં સુખનું સંવેદન પણ તીવ્ર થવાનું અને અશુભકર્મ તીવ્ર અધ્યવસાયથી બાંધ્યું છે તો દુઃખનો અનુભવ પણ તીવ્ર થવાનો.
(૩) પ્રદેશબંધ : મન, વચન અને કાયાથી, આત્મા પોતાના સર્વ પ્રદેશોથી કર્મસ્કંધો ગ્રહણ કરે-તે પ્રદેશબંધ કહેવાય. એક-એક આત્મપ્રદેશમાં જ્ઞાનાવરણ આદિ દરેક કર્મનાં અનંત-અનંત પુદ્ગલો બંધાય!
આ રીતે આત્મા સાથે પ્રકૃતિઓનો બંધ થાય છે. બંધ!
જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોથી આત્માનું જે બંધાવું, અર્થાતુ પરતંત્રતા પ્રાપ્ત કરવી, તેને “બંધ' કહેવામાં આવે છે, આત્માનો એક-એક પ્રદેશ અનંતઅનંત કર્મયુગલોથી બંધાયેલો છે.
કર્મ અને આત્માની એકતા થવી, તેનું નામ પ્રકૃતિબંધ! તે એકતા થતી વખતે જ સ્થિતિ-રસ અને પ્રદેશના નિર્ણય થઈ જાય છે. આ રીતે પ્રતિબંધમાં વૈશિડ્યું આવે છે.
For Private And Personal Use Only