________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
લોભનું પરિણામ . જશે. પરિવારના પ્રેમમાં ઓટ આવી જશે. અરે, તમને તમારો જ પરિવાર ધિક્કારતો થઈ જશે.
સમાજની સાથે તમે ધખાબાજી કરવા માંડી, વેપારમાં અને ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં તમે દગાબાજી કરવા માંડી. તમારી એ દગાબાજીનો પડદો ચિરાઈ ગયો. સમાજની દૃષ્ટિમાં તમે “દગાબાજ' રૂપે દેખાવા માંડ્યા. તમારા પ્રત્યે હજારો જબાનો ધિક્કાર વરસાવશે. તમને ઘરની બહાર નીકળવું ભારે પડી જશે.... પછી ભલે તમે માયા. દંભ કરવાનું ત્યજી દો, દુનિયાની દૃષ્ટિમાં તમે અવિશ્વાસપાત્ર જ રહેવાના.
તમે તમારી જ ભૂલના ભોગ બની જવાના. તમે તમારા જ દોષ દોષિત બની જવાના; ભલે તમે બીજાઓ પર દોષારોપણ કરીને તમારા મનને મનાવવા પ્રયત્ન કરો, પરંતુ તમે તેમ કરવા માત્રથી સમાજના વિશ્વાસપાત્ર નહીં બની શકો. માયા-કપટ ને દંભનો તમારો ભૂતકાળ દુનિયા નહીં ભૂલી શકે.
માયાવી ગૃહસ્થ હો કે માયાવી સાધુ હો, કોઈપણ હો, માયાનું આચરણ સહુનાં ચિત્તમાં અશાન્તિ ઉત્પન્ન કરે જ છે. અશાન્ત મનુષ્ય ધર્મની કલ્યાણકારી આરાધના કરી શકતો નથી.... ભલે મનુષ્ય પોતાનું પાપાચરણ ઢાંકવા માયાનો સહારો લે, એનું પાપાચરણ એના આત્માને અસ્થિર, ચંચળ અને અશાન્ત બનાવશે જ; અનેક ભયોથી ભયભીત બનાવશે જ; એટલું જ નહીં, માયાવીના માથે હમેશાં આપત્તિઓ લટકતી જ રહે છે. ક્યારે તે આપત્તિનો ભોગ બની જાય, તે નિશ્ચિત નહીં.
આવી ખતરનાક માયાને કોણ મતિમાન મનુષ્ય પોતાના જીવનમાં સ્થાન આપે? કોણ માયાનો સહારો લે? માટે હે બુદ્ધિમાન, માયાને ત્યજી દો. સરળતાને જ વળગી રહો. સરળતા તમને અનંત સંપત્તિના શિખર પર સ્થાપિત કરશે.
લોભાનું પરિણામ सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात्? ।।२९ ।। અર્થ : સર્વ અપાયાનો આશ્રય, સર્વ દુઃખાન - સર્વ વ્યસનોના અફમાત્ર રાજમાર્ગજે લોભ, તેનો વિષય બનેલો કોણ જીવાત્મા (લોભપરિણામવાળો) સુખ પામી શકે? અર્થાતુ કઈ નહીં. વિવેચન : સર્વ વિનાશનું વિશ્રામસ્થાન છે લાભ!
For Private And Personal Use Only