________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧. ઔદારિક
૨. ઔદારિક મિશ્ર
પંદર યોગ
૫૮૧
વચનયોગના ચાર પ્રકારોની જેમ ભાષા'ના પણ ચાર પ્રકારો છે, એનું વિસ્તૃત વર્ણન ‘દ્રવ્ય તોઘ્રાશ' ગ્રંથમાં કરવામાં આવેલું છે.
કાયયોગના સાત પ્રકાર :
૩. વૈક્રિય
૪. વૈક્રિય મિશ્ર
www.kobatirth.org
૫. આહારક
૬. આહારક મિશ્ર
૭. તૈજસ-કાર્મણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. ઔદારિક શરીરવાળા પર્યાપ્ત તિર્યંચોને અને મનુષ્યોને ઔદારિક કાયયોગ હોય છે.
:
૨. ઔદારિકમિશ્ર કાયયોગ ત્રણ રીતે બને છે ૦ કાર્પણ શરીર સાથે,
૦ વૈક્રિય શરીર સાથે
૦ આહારક શરીર સાથે,
* જીવાત્મા ઉત્પત્તિના પ્રથમ સમયે જે આહાર ગ્રહણ કરે છે અને શરીર બનાવે છે તે શરીરનું નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી કાર્યણની સાથે ‘ઔદારિક મિશ્ર કાયયોગ' હોય છે.
* ઔદારિક શરીરવાળા કે જેઓ વૈક્રિયલબ્ધિવાળા હોય તેવા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો, તથા પર્યાપ્તા બાદર વાયુકાયના જીવો જ્યારે વૈક્રિયશરીરનું નિર્માણ કરે છે ત્યારે, જ્યાં સુધી એ શરીરરચના પૂરી ન થાય ત્યાં સુધી વૈક્રિયની સાથે ‘ઔદારિકમિશ્ર કાયયોગ' હોય છે.
* આ જ રીતે ચૌદ પૂર્વધર શ્રુતકેવળી જ્યારે આહારક શરીર બનાવે ત્યારે જ્યાં સુધી એ શરીરરચના પૂરી ન થાય ત્યાં સુધી આહારકની સાથે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે.
આ ત્રણેય પ્રકારોમાં મુખ્યતા ઔદારિક શરીરની હોવાથી ‘ઔદારિકમિશ્ર’ કાયયોગ કહેવામાં આવ્યો છે.
૩. વૈક્રિય-શરીર પર્યાપ્તિવાળા જીવોને વૈક્રિયકાયયોગ હોય છે.
૪. વૈક્રિયમિશ્ર-કાયયોગ બે પ્રકારનો હોય છે : એક કર્મણની સાથે મિશ્ર અને બીજાં ઔદારિકની સાથે મિશ્ર.
* નરકના જીવો અને દેવો જ્યાં સુધી અપર્યાપ્ત દશામાં હોય ત્યાં સુધી તેમને કાર્યણ-વૈક્રિય મિશ્ર કાયયોગ હોય છે.
* વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય વૈક્રિય-શરીર બનાવીને, એનું
For Private And Personal Use Only