________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા
પપ૮
પ્રશમરતિ અભિગ્રહ : અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા ૧. દ્રવ્ય અભિગ્રહ : દા.ત., ‘જો અડદના બાકળા સૂપડામાં રહેલા મળશે તો જ લઈશ.”
૨. ક્ષેત્ર-અભિગ્રહ : દા.ત., “બેડીમાં જકડાયેલી, એક પગ ઉંબરની અંદર અને એક પગ ઉંબરની બહાર હોય એવી દાત્રી આપશે તો જ લઈશ.”
૩. કાળ-અભિગ્રહ : દા.ત., દિવસની બીજી પોરિસી વીત્યા પછી જ લઈશ.”
૪. ભાવ-અભિગ્રહ : દા.ત., “મૂંડાયેલા મસ્તકવાળી, રડતી દાત્રી આપશે. તો જ લઈશ.” આ ચાર પ્રકારોમાં સર્વે અભિગ્રહોનો સમાવેશ થઈ જાય.
૧૩. પર્યાMિ " એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો પોતપોતાની યોગ્યતા મુજબ, પોતાનાં શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ નિર્માણ નથી બ્રહ્મા કરતા કે નથી કોઈ ઈશ્વર કરતો ! હા, આત્માને જ બ્રહ્મા કહો કે ઈશ્વર કહો, તો વાંધો નથી.
શરીરાદિનું નિર્માણ કરવા માટે જીવાત્મામાં શક્તિ જોઈએ, જીવની સાથે અનાદિ કાળથી તૈજસ શરીર અને કાશ્મણ શરીર સૂક્ષ્મ શરીર] તો હોય જ છે. આ ઉપરાંત ઇન્દ્રિયસાપેક્ષ યોગ્યતા મુજબ દરેક જીવમાં એક શક્તિ પ્રગટે છે. અલબત્ત, આ શક્તિની પ્રાપ્તિમાં “કર્મ' તો સૂક્ષ્મરૂપે કારણ હોય જ છે. આ શક્તિનું નામ “પર્યાપ્તિ છે. પ્રથમર્મ ગ્રન્થ ની ટીકામાં કહ્યું છે : 'તિર્નામ પુકાનીપળઃ પુલ નઝાપરિપાનતઃ વિશેષ: પગલોના સમૂહમાંથી પ્રગટતી અને પુદ્ગલોનું ગ્રહણ-પરિણમન થવામાં હેતુભૂત શક્તિનું નામ પર્યાપ્તિ.
શરીરથી મન સુધીની પાંચેય વસ્તુઓનું નિર્માણ પુદ્ગલોથી થાય છે તે તે પુદ્ગલો ગ્રહણ કરવાના હોય છે અને તે પુદગલોથી શરીરાદિનું નિર્માણ કરવાનું હોય છે. આ કાર્ય કરવાની આત્માની શક્તિ ઔદયિક નું નામ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિ છ પ્રકારની છે. એ છ પ્રકારો નીચે પ્રમાણે છે :
૧. ઉત્પત્તિના પહેલા જ સમયે જીવ શરીરને યોગ્ય, ઇન્દ્રિયોને યોગ્ય, શ્વાસોચ્છવાસને યોગ્ય, ભાષાને યોગ્ય અને મનને યોગ્ય પગલા ગ્રહણ કરે છે; જે શક્તિથી પુગલ-ગ્રહણ કરે છે તે શક્તિનું નામ “આહાર-પર્યાપ્તિ' છે. ૨૩. કારિકા-૨૨૨૨૨૩
For Private And Personal Use Only