________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૮
પ્રશમરતિ ૨. હું સ્નાન નહીં કરું, વિલેપન નહીં કરું. વિવિધ વિભૂષામાં રક્ત ચિત્ત ખાલી થઈ જવાથી તેમાં અબ્રહ્મના વિચારો પ્રવેશી જાય છે.
૩. સ્ત્રીને જોઈશ નહીં, તેનાં અંગોપાંગ સ્પૃહાથી જોઈશ નહીં. સ્ત્રીઓના અવયવો જેવાથી બ્રહ્મચર્યની ભાવના નબળી પડે છે.
૪. હું સ્ત્રીઓનો પરિચય નહીં કરું. સ્ત્રીસંસક્ત વસતિમાં નહીં રહું, સ્ત્રીના વાપરેલા આસન ઉપર નહીં બેસું.
૫. અપ્રશસ્ત સ્ત્રીકથા નહીં કરું. સ્ત્રીકથાથી મનમાં કામોન્માદ જાગે છે. પાંચમા મહાવ્રતની ભાવનાઓ : ૧. હું સારા કે નરસા શબ્દમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૨. હું સારા કે નરસા રૂપમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૩. હું સારા કે નરસા રસમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૪. હું સારી કે નરસી ગંધમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૫. હું સારા કે નરસા સ્પર્શમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું પંડિત પુરુષ જિતેન્દ્રિય હોય અને સર્વસાવદ્ય પાપોથી-બાહ્ય અત્યંતર પરિગ્રહથી રહિત હોય. શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરવાથી પાંચમાં મહાવ્રતની વિરાધના થાય છે. માટે હું એ વિષયોમાં રાગ-દ્વેષ નહીં કરું.
આ રીતે પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ રોજ ભાવવાથી મહાવ્રતોનું પાલન ઉજ્જવળ બને છે. પાલનમાં દૃઢતા આવે છે.
૧૦, થોર્માનિરોધ" સમુઘાતથી નિવૃત્ત કેવળી ભગવાન યોગનિરોધના માર્ગે વળે છે. યોગનિમિત્તે (મન-વચન-કાયાના) થતા કર્મબંધનો નાશ કરવા માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અન્તર્મુહૂર્ત કાળમાં કરવામાં આવે છે.
સર્વપ્રથમ બાદર કાયયોગના બળથી બાદર વચનયોગને રોધે. પછી બાદર કાયયોગના આલંબને બાદર મનોયોગને રોધે. પછી ઉચ્છવાસ-નિશ્વાસને રાંધે. ત્યારબાદ સૂમ કાયયોગથી બાદર કાયયોગને રોધે. (કારણ કે જ્યાં સુધી બાદર યોગ હોય ત્યાં સુધી સૂક્ષ્મ યોગો રોધી શકાતા નથી.)
ત્યારપછી સુક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોધે અને પછીના સમયે સુક્ષ્મ મનોગને રોધે. ત્યારબાદના સમયે સૂક્ષ્મ કાયયોગને રોધે. ૨૦૦. શ્લોક : ૭૪
For Private And Personal Use Only