________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. ગમન માટે પર્યાયબ
ગમ :
“ગમ એટલે અર્થમાર્ગ. પદાર્થને જાણવાના, સમજવાના અને પદાર્થને વિશેષ-વિશેષરૂપે ઓળખવાના વિવિધ માર્ગોને “ગમ' કહેવાય છે. જગતની પ્રત્યેક વસ્તુમાં અનેકાનેક પ્રકારની ખાસિયતો રહેલી છે, તે ખાસિયતો માત્ર એકાદ દૃષ્ટિબિંદુથી વિચારીએ તો ન સમજાય. તે માટે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી વસ્તુને તપાસવી જોઈએ.
એક પદાર્થ અંગેની વિચારણા કરવા માટે શાસ્ત્રોમાં ૧૪ માર્ગો બતાવવામાં આવ્યા છે. એના અવાંતર પ્રકારો કરે છે. તેને “કુર માર્ગણા” કહેવામાં આવે છે. તે ૧૪ પ્રકારો આ મુજબ છે :
गइ-इंदिय-काए जोए वेए कसाय नाणे या
संजम-दंसण-लेसा भव सम्मे सन्नि आहारे ।। ૧. ગતિ ૨. ઇંદ્રિય ૩. કાયા ૪, યાંગ ૫. વેદ ૬. કપાય ૭. જ્ઞાન ૮. સંયમ ૯. દર્શન ૧૦. લેશ્યા ૧૧. ભવ ૧૨. સમ્યક્ત ૧૩. સંજ્ઞીપણું ૧૪. આહાર.
દા.ત. “મોક્ષ' અંગે વિચારણા કરવી છે તો : “કઈ ગતિમાંથી જીવ મોક્ષ જાય? કેટલી ઇન્દ્રિયોવાળો જીવ મોક્ષે જાય? દારિક, વૈક્રિય વગરે કઇ કાયાથી મોક્ષે જવાય? મન, વચન, કાયાના પંદર યોગોમાંથી કેટલા અને ક્યા યોગવાળો મોક્ષે જાય?' પુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવંદમાંથી કયા વેદવાળો મોક્ષે જાય?' આ રીતે ચિતન થાય. એને અર્થમાર્ગ કહેવાય અર્થાત્ “ગમ' કહેવાય, તત્ત્વાર્થસૂત્રમાં બીજી રીતે અર્થમાર્ગો બતાવવામાં આવ્યા છે :
निर्देश-स्वामित्व-साधनाधिकरण स्थिति-विधानतः।
सत्-संख्या-क्षेत्र-स्पर्शना-कालान्तर-भावाल्पवहुत्वैश्च ।। નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ-વગેરે દ્વારા પદાર્થનું ચિંતન કરવું જોઈએ. અર્થ-વિચારણાના આ બધા માર્ગો છે, તેને “ગમ' કહેવાય. આવા અર્થમાર્ગો અનન્ત છે! એક સૂત્રના અનન્ત અર્થ હોય છે અને અનન્ત પર્યાય હોય છે : ૧૮૪. લિોક નં. ૩
For Private And Personal Use Only