________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. યંતઘર્મ પર યતિ એટલે શ્રમણ, સાધુ, મુનિ, યતિએ જેવી રીતે પાંચ મહાવ્રતોનું જીવનપર્યંત પાલન કરવાનું હોય છે, તેમ આ દશ પ્રકારના ધર્મનું પણ પાલન કરવાનું હોય છે. મહાવ્રતોના પાલનમાં આ યતિધર્મનું પાલન સહાયક છે, તેમ યતિધર્મના પાલનમાં મહાવ્રતો પૂરક બને છે.
શ્રી પ્રવન સારોદ્ધાર' ગ્રંથના આધારે અહીં યતિધર્મના દશ પ્રકારો બતાવવામાં આવે છે :
૧. ક્ષમા : સર્વથા ક્રોધનો ત્યાગ, શક્તિ હોય કે ન હોય, સહનશીલતાનો અધ્યવસાય અખંડ રાખવાનો.
૨. માર્દવ ઃ મૃદુતા, નમ્રતા, સ્વ-ઉત્કર્ષનો ત્યાગ કરવાનો કોઈ અપમાન કરે તો પણ પર-અપકર્ષ નહીં કરવાનો.
૩. આર્જવ : માયાનો ત્યાગ. સરલતા. મનમાં ય માયા નહીં રાખવાની. વચન અને કાયાને પણ સરળ રાખવાની,
૪. મુક્તિ : તૃણાનો વિચ્છેદ, લોભનો ત્યાગ. બાહ્ય અને અત્યંતર વસ્તુઓમાં તુણા નહીં રાખવાની. નિલભી બનવાનું.
૫. તપ : શરીરની ધાતુઓને તપાવવી અર્થાત્ ક્ષીણ કરવી, અથવા કમનો ક્ષય કરવાં. બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ કરવાનો.
૬. સંયમ : આશ્રવોથી વિરામ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય; યોગ અને પ્રમાદ-આ પાંચ આશ્રવનાં દ્વાર બંધ કરવાનાં.
૭. સત્ય : મૃષાવાદનો ત્યાગ. પ્રિય, પથ્ય અને તથ્ય વાણી બોલવાની. અપ્રિય, કુપથ્ય અને વિતથ નહીં બોલવાનું.
૮. શૌચઃ સંયમનું-મહાવ્રતોનું નિરતિચાર પાલન, મહાવ્રતોને શુદ્ધ રાખવાં, દાંથી મલિન થવા ન દેવાં, એ શૌચ છે.
૯, આકિંચન્ય : મમત્વરહિતપણું, ધન, શરીર અને ધર્મોપકરવામાં પણ મમત્વ નહીં રાખવાનું, આસક્તિ નહીં રાખવાની.
૧૦. બ્રહ્મ : બ્રહ્મચર્યની નવ વાડોના પાલન સાથે જનનેન્દ્રિયનો સંયમ રાખવો. અબ્રહ્મના સેવનનો ત્યાગ.
૧૮૨. લોક નં. ૧
For Private And Personal Use Only