________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવ્રતો
પ૧૯ હોય. દા.ત., માતાપિતા પોતાનાં પુત્ર-પુત્રી દીક્ષા માટે ગુરુને આપતાં હોય, પરંતુ પુત્ર-પુત્રીની પોતાની ઇચ્છા ન હોય.
તીર્થંકર-અદત્ત :
તીર્થકર ભગવંતોએ જે વસ્તુ લેવાનો નિષેધ કર્યો છે. દા.ત., તીર્થકરોએ “આધાકર્મ' આદિ દોષોથીયુક્ત ભિક્ષા લેવાનો નિષેધ કરેલો છે.
ગુરૂ-અદત :
આધાકર્માદિ દોષથી રહિત આહાર વગેરે ગૃહસ્થ આપે તે ગુરુની આજ્ઞા વિના ગ્રહણ કરવું.
આવું અદત્ત મન-વચન-કાયાથી ગ્રહણ કરે નહીં, ગ્રહણ કરાવે નહીં, ગ્રહણ કરતાને અનુમોદે નહીં, તે ત્રીજું મહાવ્રત છે. મૈથુનવિરમણ મહાવત :
સ્ત્રી-પુરુષના મિથુન (જોડલું)નું જે કર્મ તે મૈથુન, તેનાથી વિરામ પામવું તે ચોથું મહાવ્રત છે,
ત્રણ પ્રકારના મેથુનનો ત્યાગ કરવાનો હોય છે : ૧. દેવસંબંધી, ૨. મનુષ્ય સંબંધી, અને ૩. તિર્યંચસંબંધી. આ ત્રણ પ્રકારના મૈથુનને મન, વચન, કાયાથી ન સેવે, ન સેવરાવે, સેવતાને અનુમોદે નહીં.
એવી રીત, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રમણ મિથુન સેવે નહીં. (૧) દ્રવ્યથી ઃ નિર્જીવ પ્રતિમા (સ્ત્રી-પુરુષની સાથે મંથન ન સેવે, એવી રીતે આભૂષણસહિત એવી સ્ત્રી સાથે મૈથુન ન સેવે. (૨) ક્ષેત્રથી ઊર્ધ્વલોક, અધોલક અને તિર્યફ લોકનાં મૈથુન ન સેવે. (૩) કાળથી: દિવસે કે રાત્રે મૈથુન ન સેવે. (૪) ભાવથી: રાગથી મિાયાથી, લોભથી. મૈથુન ન સેવે, હેપથી ક્રોધથી, માનથી] મૈથુન ન સેવે.
ચતુર્ભગી : (૧) દ્રવ્યથી મૈથુન સેવે, ભાવથી ન સેવે. १७९. द्रव्यादिचतुर्भंगी पुनरियं दवओ मेहुणे नामेगे नो भावओ। भावओ नामेगे नो
दव्वओ। एगे दबओवि भाक्ओवि। एगे नो दवओ नो भावओ। तत्थ दुट्टाए इत्थियाए बला परिभुज्जमाणीए दव्यओ मेहुणे, नो भावओ। भेहुणसन्नापरिणयस्स तदसंपत्तीए भावओ, नो दव्वओ। - पक्खीसूत्र-टीकायाम्
For Private And Personal Use Only