________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનશાસનનો જય
૫૧૫ ઓળખાણથી લઈને શુદ્ધ-બુદ્ધ-મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ સમજાવ્યું. તે આદિ...અનાદિ અને અનંતનાં રહસ્ય ખોલી આપ્યાં. તેં તારા જેવા બનવાનો સ્પષ્ટ માર્ગ બતાવીને, એ માર્ગે ચાલવાના વિધિ-નિષેધો બતાવ્યા પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું...બધું નિઃશંક અને નિશ્ચિત કહ્યું. કોઈ શંકા ન રહે, - કાંઈ ભ્રમણા ન રહે...એવું ચોક્કસ અને સુસ્પષ્ટ સમજાવ્યું
હે અનંત ગુણોના સાગરી
તમારો જય હો... તમારા ધર્મશાસનનો જય હો...તમારી કૃપાદૃષ્ટિથી નિર્ગુણ ગુણવાન બને છે, તમારું ધર્મશાસન પાપીને પુણ્યશાળી બનાવે છે...આવા નિર્ગુણને ગુણવાન બનાવનારા અને પાપીને પુણ્યશાળી બનાવનારા...તમારો જય હો.
હે ધર્મતીર્થ પ્રવર્તક! તારી વિજયપતાકા ફરકી રહી છે. આજે પણ વિશ્વમાં! એ પતાકાની છાયામાં વિશ્રામ કરનારાઓ જન્મ-જરા-શોક-સંતાપ...અને મૃત્યુ પર વિજય પામે છે. આંસુ અને અમંગળથી ભરેલું જીવન ઉલ્લાસમય અને મંગલમય બનાવે છે.
છે તારણહાર : તારી કૃપાનું એક કિરણ મને આપ અને અભેદભાવે મને તારામાં સમાવી લે. તું જય પામે છે. તું વિજય પામે છે.. સદા સર્વદા,
For Private And Personal Use Only