________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
પ્રશમરતિ હે વાત્સલ્યનિધિ,
મારા પ્રત્યેક શ્વાસ સાથે સર્વજ્ઞશાસન જોડાયેલું છે. પ્રત્યેક ઉચ્છવાસ અને સમર્પણનું ગીત ગુંજે છે, મને કોઈના પ્રત્યે દ્વેષ નથી કે દુર્ભાવ નથી, છતાં મને પૂર્ણજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો નથી.. સંપૂર્ણ અપ્રમત્તભાવ પણ વિકસ્યો નથી, એટલે મારામાં અજ્ઞાન અને પ્રમાદ પડેલાં જ છે. એટલે ગ્રન્થરચનામાં ક્ષતિઓ રહી જવાનો પૂરો સંભવ છે. છંદના નિયમોનું કદાચ પાલન ન થયું હોય, વ્યાકરણના નિયમોમાં પણ ભૂલ થઈ ગઈ હોય ..અને, જિનવચનોનું અર્થઘટન કરવામાં ભૂલો પડી ગયો હોઉં. આ બધી વાતો સંભવિત છે...
હે પિતા, તમારા આ બાળકને ક્ષમા આપો, સ્નેહનું સિંચન કરીને મને તથા મારી ભૂલોને માફ કરી દો, શબ્દોની આ દીર્થયાત્રા પૂરી થઈ છે. જેમના અચિન્ત અનુગ્રહથી આ યાત્રા પૂર્ણ થઈ છે, તેમનાં મધુર ગીત ગાવાને હોઠ અને હૈયું વ્યાકુળ છે...અજાણતાં રહી ગયેલી ભૂલોની ક્ષમા માગું છું.. ક્ષમા કરો...ક્ષમા કરો.. ક્ષમા કરો..
જિનશાસનનો જય सर्वसुखमूलबीजं सर्वार्थविनिश्चयप्रकाशकरम् ।
सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासनं जयति ।।३१४ ।। અર્થ : સર્વ સુખોનું મૂળ બીજ, સકંલ અર્થોનો નિર્ણય પ્રગટ કરનારું અને સર્વ ગુણની સિદ્ધિ માટે, ધનની જેમ સાધનરૂપ જિનશાસન જય પામે છે.
વિવેચન : હે સર્વ શ્રેયના કરનારા જિનેશ્વરી
મારા હૈયે એવી શ્રદ્ધા સ્થિર થઈ ગઈ છે કે સર્વ જીવનાં સર્વ સુખોનું મૂળ બીજ તું જ છે. આજે હું એક ગહન નીરવ ચિંતનમાં જ્યારે તારા તરફ વળ્યો ત્યારે તારા પ્રેમ-આલિંગનની પ્રબળ ઇચ્છા જાગી...અને હું બોલી ઊઠ્યો : મારી પાસેનાં બધાં સુખ તારાં આપેલાં છે. તું એ લઈ લે તારી પાસે...અને તું જ મને તારા બાહુપાશમાં લઈ લે.
હે ચરાચર વિશ્વના પ્રકાશક સર્વજ્ઞદેવ!
તેં શું નથી બતાવ્યું? તે શું નથી સમજાવ્યું? તેં એક પરમાણુથી લઈને મેરુ જેવડાં પહાડોનું સૂક્ષ્મ વિજ્ઞાન આપ્યું. તેં એક અનાદિ નિગોદમાં રહેલા જીવની
For Private And Personal Use Only