________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ચાહે જીવહિંસા હો કે ચાહે જીવરક્ષા હો! સંપૂર્ણ મૂઢતા, એને એ જ્ઞાન નહીં કે એને ભાન નહીં! મારે જીવહિંસા ન કરવી જોઈએ, જીવહિંસા પાપ છે.... એવી રીતે જૂઠું ન બોલવું જોઈએ... ચોરી ન કરવી જોઈએ, દુરાચારવ્યભિચારના માર્ગે ન જવું જોઈએ, મારે જીવો પ્રત્યે દયા-કરુણા રાખવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ... સદાચાર અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ...' આવી કોઈ જ નિર્ણય નહીં...હિંસાઅહિંસા વચ્ચે જૂઠ-સત્ય વચ્ચે, ચોરી-પ્રામાણિકતા વચ્ચે. દુરાચાર-સદાચાર વચ્ચે.. કોઈ જ ભેદરેખા નહીં!
એવી જ રીતે, ‘હિંસાદિ પાપાચરણથી ચિત્ત કલુપિતગંદું બને છે અને અહિંસા વગેરે ધર્માચરણથી મન નિર્મળ બને છે. આ પરિજ્ઞાન પણ જે જીવોનું હોતું નથી. ચિત્તની મલિનતા અને પવિત્રતાના વિષયમાં પૂરી અજ્ઞાનતા! મારું મન મલિન બન્યું.... મને હિંસાનો, જૂઠનો વિચાર આવી ગયો..' આ ચિંતન જેની પાસે ન હોય, ‘મારું મન પવિત્ર બન્યું. મને દયા, કરુણાના, આત્માના, પરમાત્માના વિચાર આવ્યા.” આ પણ વિચાર જેની પાસે નથી, મન કે જે સૂમ છે, સ્થૂલ નથી, એવા સૂક્ષ્મ મનમાં ડોકિયું કરવાની જેમની પાસે દૃષ્ટિ નથી, અને જેઓ સંજ્ઞાઓના ઝગડામાં અટવાઈ ગયા છે.
આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મથન સંજ્ઞાની બેફામ પાપલીલાઓમાં તલ્લીન બની જેઓ રાચી-માચી રહ્યા છે, તેઓને ક્રોધાદિ કષાયો પકડી જ લે, તેમાં કાંઈ આશ્ચર્ય નહીં. સંજ્ઞાઓના ઝગડા ગજબનાક હોય છે.
શું આહારસંજ્ઞા જળોની જેમ જીવને ચીટકી પડી નથી? જીવ સાથે શું એ રોજ લડતી નથી? મને ઠંડું ભોજન નહિ ચાલે, મારે તો ગરમાગરમ ભોજન જોઈએ.. મને નીરસ રસોઈ નહીં ચાલે, મારે તો રસભરપૂર વાનગીઓ જોઈએ... હું તો દિવસે ખાવું ને રાત્રે પણ ખાઉં... ભક્ષ્ય ખાવું ને અભક્ષ્ય ખાઉં.... હું તો મસાલેદાર જ ખાઉં... એક પણ મસાલો ઓછો હોય તો મને ન ચાલે!”
આ છે આહારની સંજ્ઞા. દિવસ ને રાત મનુષ્યના મનમાં આ જ વિચારો ચાલ્યા કરે... પરંતુ જ્યારે એને મનગમતા પદાથો ખાવા-પીવા ન મળે એટલે એના ધમપછાડા જુઓ! આર્તધ્યાન..... હેપ... ગુસ્સો વૈર... એની સીમા નહીં, અને મનગમતા પદાર્થો મળી ગયા તો એના ચાળા જુઓ! કેટલી વૃદ્ધિ? કેટલી મૂર્છા? કેટલો રાગ અને કેટલી આસક્તિ? આ સંજ્ઞાના પાપે તો
For Private And Personal Use Only