________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮,
પ્રશમરતિ આ વ્રત લીધા પછી, કોઈ સેવા કરનાર ન હોય, કોઈ આદર આપનાર ન હોય, તેથી કંટાળી ન જશો અને “જલદી મોત આવે તો સારું એવી ઇચ્છા ન કરશો.
આ વ્રત લીધા પછી, મિત્રો ઉપર કે પુત્રાદિ ઉપર સ્નેહ નથી રાખવાનો. જીવનમાં અનુભવેલાં વૈષયિક સુખોને યાદ ન કરશો. તપ-ત્યાગનો બદલો કોઈ પણ ભોગસુખરૂપે ભાગવાની ભૂલ ના કરશો. આટલી સાવધાનીઓ રાખીને, ધર્મધ્યાનમાં તે રમતો રહે છે. આ રીતે પરમ વિશુદ્ધ સંલેખન-વ્રતનું એ પાલન કરે છે. પાલન કરતાં કરતાં સમાધિમૃત્યુને ભેટે છે!
તેનો જન્મ દેવલોકમાં થાય છે. વૈમાનિક (૧ થી ૧૨) દેવલોકમાં ઇન્દુત્વ પ્રાપ્ત કરે અથવા ઇન્દ્રસમાન સંપત્તિ-વૈભવવાળો “સામાનિક' દેવ થાય. ઇન્દ્ર કે સામાનિક દેવ ન થાય તો પણ તે વિશિષ્ટ કૃદ્ધિ, ધૃતિ અને પ્રભાવવાળો વૈિમાનિક દેવ તો થાય જ.
પ્રશ્ન : મનુષ્ય-જીવનમાં ઉચ્ચ કોટિનું ધાર્મિક દેશ-વિરતિ જીવન જીવીને દેવલોકમાં એ જીવાત્મા અવિરતિપણું કેમ પામે છે? એને બીજો જન્મ તો ક્રમિક ધાર્મિક-આધ્યાત્મિક વિકાસ થાય, તેવો મળવો જોઈએ ને?
ઉત્તર : સમ્યગદષ્ટિ જીવાત્મા અને દેશવિરતિ જીવાત્મા દેવગતિનું જ આયુષ્ય કર્મ બાંધતા હોય છે. જે ગતિનું આયુષ્ય કર્મ બાંધ્યું હોય, તે ગતિમાં જવું જ પડે છે. દેવ ગતિમાં જીવાત્મા વ્રત-નિયમોનું પાલન નથી કરી શકતો, પરંતુ પરમાત્માનું સ્મરણ દર્શન-પૂજન સ્તવન...આદિ કરી શકે છે. વળી, ત્યાં ઇન્દ્રો તો સમકિતદષ્ટિ જ હોય છે. અહીંના માનવ-જીવનમાં જે આત્માઓ બાહ્ય-આન્તર ઉચ્ચ કોટિની ધર્મ-આરાધના કરીને દેવલોકમાં જાય છે, તેઓ બધા જ પ્રાય: ત્યાં સમકિતષ્ટિ હોય છે. એટલે દેવલોકનાં દિવ્ય સુખો અસંખ્ય વર્ષો સુધી ભોગવે છતાં તેમાં ડૂબી નથી જતા, મનુધ્યક્ષેત્રમાં જ્યાં જ્યાં વિચરતા તીર્થકરો હોય ત્યાં અવાર-ન્નવાર જતા હોય છે અને ધર્મોપદેશ સાંભળતા હોય છે. “નંદીશ્વર' દ્વીપ જેવાં શાશ્વતું તીર્થોની યાત્રા કરવા માટે પણ જતા હોય છે. તીર્થકરોનાં જન્મ-દીક્ષા-કેવળ-નિર્વાણ કલ્યાણકોની ઉજવણી કરવા જતા હોય છે. જ્યારે જ્યારે છદ્મસ્થ જીવોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે કેવળજ્ઞાનના મ. ત્સિવ ઊજવવા જતા હોય છે. મનુષ્ય જીવનમાં પાળેલો વ્રત-નિયમો નિષ્ફળ જતાં નથી, સંસ્કારરૂપે એ
For Private And Personal Use Only