________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા ભવે મોક્ષ
૪૯૭ તપની પણ આરાધના કરશો તો ધ્યાન અને કાયોત્સર્ગમાં તમારી લીનતા વધતી જશે.
છે તમે આ વર્તમાન શ્રમણાજીવનમાં પ્રતિદિન બાર ભાવનાઓ ભાવીને ચિત્તશુદ્ધિ કરી રહ્યા છો ને? અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિર્લભ અને ધર્મસ્વાખ્યાત...આ બાર ભાવનાઓથી તમારા ચિત્તને તમે વાસિત કર્યું છે ને? આ સંસ્કારો તમારા આત્મામાં ઊંડા પડી ગયેલા છે.દેવલોકમાં અસંખ્ય કાળ વિતાવવા છતાં, એ સંસ્કાર જતા નથી; એટલે તે પછીના મનુષ્ય-જીવનમાં એ સંસ્કારો જાગ્રત થવાના જ. એ સંસ્કારોના બળથી જ તમે ધર્મધ્યાનમાં સ્થિરતા પામવાના! ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશવાના. શુક્લધ્યાનમાં તમે ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગ-સર્વજ્ઞ બનવાના.
સંવરમાં બાર ભાવનાઓનો સમાવેશ થયેલો છે. પાપકર્મોને પ્રતિપળ બાંધવા ટેવાયેલા મનને આ બાર ભાવનાઓથી જ રોકી શકાય છે. બારા ભાવનાઓમાંથી ગમે તે એક ભાવના મનમાં રમતી રહેવી જોઈએ. કોઈ
ત્રપાઠની જેમ બાર ભાવનાનો પાઠ કરવાનો નથી. વિચારોને જ આ ભાવનાઓથી રંગી નાંખવાના છે. આ જીવનમાં જો આ કામ થઈ જાય અને આત્મામાં ઊંડા સંસ્કાર પડી જાય તો ત્રીજા ભવે આત્મા સર્વ કમનો ક્ષય કરી મુક્તાત્મા બની શકે છે.
ભલે, આ ભવમાં આત્મા પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે, ત્રીજા ભવે તો પૂર્ણતા પ્રાપ્ત થવાની જ. આ વર્તમાન ભવ પહેલો, દેવનો ભવ બીજો અને પછી મનુષ્યભવ ત્રી...એ ત્રીજો મનુષ્યભવ ચરમભવ બનવાનો. કર્મોનાં બંધનો તૂટવાનાં.
માટે, આ વર્તમાન સાધુજીવનમાં૧. સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રથી સંપન્ન રહો. ૨. જિનપ્રવચનોક્ત સમસ્ત ક્રિયાકલાપો કરતા રહો. ૩. તન-મનની શક્તિનો...શક્તિના એક-એક અંશનો સદુપયોગ કરો. ૪. “મારો મોક્ષ થશે કે નહીં,' એવી નિરાશાને ખંખેરી કાઢો. ૫. “મારો મોક્ષ થશે જ,' આવી શ્રદ્ધાને દૃઢ રાખો.
For Private And Personal Use Only