________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬
પ્રશમરતિ અને અંતરાત્મા જેનાથી ઝૂમી ઊઠે છે, તે આધ્યાત્મિક સંપત્તિ પણ તમને પ્રાપ્ત થવાની, આ વર્તમાન જીવનની તમારી આધ્યાત્મિક સાધનાના આત્મામાં પડેલા ઊંડા સંસ્કારો ત્યારે ઉદ્દબુદ્ધ થવાના.
- તમારી પરમાત્મશ્રદ્ધા, પરમાત્મા પ્રત્યેના અવિહડ પ્રેમમાં અભિવ્યક્ત થવાની. પરમાત્માનું સ્મરણ તમને રોમાંચિત કરશે. પરમાત્માની પ્રતિમાનાં દર્શન તમને ગદ્ગદ્ કરી દેશે. પરમાત્માનું પૂજન-સ્પર્શન તમારી આંખોને હર્ષાશ્રુથી છલકાવી દેશે. પરમાત્માનું સ્તવન તમારા મનને ભક્તિ-રસથી ભીંજવી દેશે.
વીતરાગતાને પામવા મહાવ્રતોને જીવનમાં જીવતા જ્ઞાની-ધ્યાની મહાત્માઓનાં ચરણે તમે શ્રદ્ધાવનત રહેવાના. તમે એ ત્યાગી-વિરાગી સાધુજનોના પ્રશંસક અને સેવક બનવાના. તેમનો સંપર્ક અને તેમનું સાંનિધ્ય તમને ખૂબ ગમવાનું.
સર્વજ્ઞભાષિત મોક્ષમાર્ગ ઉપર તમારી અવિહડ શ્રદ્ધા રહેવાની. તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ તમારી શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ બનવાની. આ શ્રદ્ધાના પ્રભાવે તમે નિર્ભય, નિશ્ચિત અને ઉત્સાહથી ભરપૂર બનવાના. કેપ, ખેદ...ઉગ જેવા દો દૂર થવાના.
છે તમારી પાસે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો પ્રકાશ હશે. યથાક્ષયોપશમ તમને જ્ઞાન-પ્રકાશની પ્રાપ્તિ થવાની. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના સહારે તમે આત્મજ્ઞાની બનવાના.
મુનિરાજ, સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનના ફળરૂપે તમે સમ્યક્ ચારિત્રને પામવાના. તમે પાપાશ્રયોને શોધવા માટે પ્રયત્નશીલ બનવાના. પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવા, ચાર કષાયોનો મૂળમાંથી નાશ કરવા, પાંચ અવ્રતોનું આકર્ષણ તોડી નાંખવા, મન-વચન-કાયાના અશુભ યોગોથી વિરામ પામવા તમે સતત પુરુષાર્થ કરવાના. ર૫ ક્રિયાઓ ન લાગી જાય તે માટે સાવધાન રહેવાના. આ માટે તમે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરશો. બાવીસ પરીપહોને દઢતાપૂર્વક સહન કરશો. દસ યતિધર્મનું કાળજીપૂર્વક પાલન કરશો. અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવતા રહેશો અને સામાયિક-છંદોપસ્થાપનીય ચારિત્રનું પાલન કરતાં કરતાં “યથાખ્યાત ચારિત્રતરફ આગળ વધશો!
* તમે સમજતા હો છો કે “વિકાફયાWISવિ મrt તઇ હોદૃ નિર' નિકાચિત એવાં પણ કર્મોની, તપશ્ચર્યાથી નિર્જરા થાય છે! એટલે તમે અનશન, ઊણોદરી વગેરે બાહ્ય તપની સાથે સાથે પ્રાયશ્ચિત્ત, વિનય વગેરે આવ્યંતર
For Private And Personal Use Only