________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાભા અભાવરૂપ નથી मुक्तः सत्राभावः स्वालक्षण्यात् स्वतोऽर्थसिद्धेश्च ।
भावान्तरसंक्रान्तेः सर्वज्ञाज्ञोपदेशाच्च ।।२९१ ।। અર્થ : પોતાના લક્ષણથી, સ્વતઃ અર્થસિદ્ધિથી, ભાવસંક્રાન્તિથી અને સર્વજ્ઞભાપિત આગમના ઉપદેશથી મુક્તાત્મા અભાવરૂપ નથી.
વિવેચન: “મોક્ષ નથી, મુતાત્મા ન હોઈ શકે,” આવું મંતવ્ય પ્રાચીનકાળમાં એક મતરૂપે પ્રવર્તતું હતું. એ મતની પાસે તર્ક હતા, દલીલો હતી.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે દિવસે ધર્મતીર્થની સ્થાપના કરી હતી, તે દિવસે તેઓની પાસે જે ૧૧ વિદ્વાન બ્રાહ્મણો આવ્યા હતા, તેમાં સૌથી નાના અને સૌથી છેલ્લા પ્રભાસનું મંતવ્ય હતું-મોક્ષ નથી. તેના પોતાના તર્ક હતા
૧. જેમ બુઝાઈ ગયેલો દીપક કોઈ પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, વિદિશાઓમાં જતો નથી. પણ તેલનો ક્ષય થવાથી કેવળ શાન્તિ પામે છે, તેમ મૃત્યુ પામેલો જીવ પણ કોઈ અન્ય પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં કે વિદિશાઓમાં જતો નથી..પરન્તુ ક્લેશનો ક્ષય થવાથી માત્ર શાન્તિ પામે છે. દીપકના નાશની જેમ જીવનો નાશ થાય છે, માટે મોક્ષ નથી.
૨. જેનો અનાદિ સંયોગ હોય તેનો ક્યારેય વિયોગ ન થાય. જેમ આકાશ અને જીવનો અનાદિ સંયોગ હોવાથી તેમનો ક્યારેય વિયોગ નથી થતો તેવી રીતે જીવ અને કર્મનો અનાદિ સંયોગ માનેલો હોવાથી તેનો કદાપિ વિયોગ ન થઈ શકે, માટે મોક્ષ નથી. કર્મનો વિયોગ ન થવાથી સંસારનો વિયોગ ન થાય અને સંસાર-વિયોગના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય.|
૩નારકાદિ પર્યાયો જ સંસાર છે. નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી. એટલે, તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જાય છે, માટે મોક્ષ નથી. | સર્વજ્ઞ પરમાત્મા મહાવીરે આ તર્કોને ખોટા સિદ્ધ કરીને મોક્ષના અસ્તિત્વને [મુક્તાત્માના અસ્તિત્વની સિદ્ધ કર્યું હતું. આ રહ્યા ભગવાનના પ્રત્યુત્તરો
૧. કોઈપણ દ્રવ્યનો નાશ થતો જ નથી. દ્રવ્ય સ્થિર-નિત્ય હોય છે. પર્યાયો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. દીપકનો અગ્નિ સર્વથા નાશ નથી પામતો, માત્ર તેનું પરિણામાન્તર [ભાવાત્તર સંક્રાન્તિ થાય છે. જેમ દૂધનું પરિણામોત્તર
For Private And Personal Use Only