________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
પ્રશમરતિ આલંબનથી થતા આત્મપ્રદેશોના પરિસ્પંદ-કંપનવ્યપારને “યોગ' કહેવામાં આવ્યો છે. આલંબનોની અપેક્ષાએ યોગના ત્રણ પ્રકાર છે.
૧. મનોયોગ : મનોવર્ગણાના પુગલોના આલંબનથી આત્માનું જે પ્રદેશકંપન થાય તે.
૨. વચનયોગ: ભાષાવર્ગણાના પુદ્ગલોના આલંબનથી આત્માનું જે પ્રદેશકંપન થાય તે.
૩. કાયયોગ : દારિકાદિ વર્ગણાના પુદ્ગલોના આલંબનથી આત્માનું જે પ્રદેશ-કંપન થાય તે.
પ્રસ્તુતમાં, “કેવળી સમુદ્રઘાત” ની પ્રક્રિયામાં “કાયયોગ” નો ઉપયોગ હોય છે. કાયયોગના સાત પ્રકાર છે. દારિક દારિકમિશ્ર વૈક્રિય વૈક્રિયમિશ્ર આહારક આહારકમિશ્ર કાર્મણ. “કેવળી સમુદુધાત' માં આ સાત કાયયોગમાંથી
દારિક ઔદારિકમિશ્ર અને કાર્મણ-કાયયોગનો ઉપયોગ હોય છે. મનોયોગ અને વચનયોગનું અહીં આ સમુદ્રઘાતની પ્રક્રિયામાં કોઈ પ્રયોજન હોતું નથી.
સમુઘાતની આઠ સમયની સૂમ ક્રિયામાં કયા સમયે કયાં યોગ હોય છે તે બતાવવામાં આવે છે.
પહેલા સમયે દારિક-કાયયોગ હોય છે. કારણ કે ત્યાં શરીરમાંથી આત્મપ્રદેશોનું નિ:સરણ થાય છે. આત્મપ્રદેશો દડાકૃતિ ધારણ કરે છે. આ ક્રિયામાં ઔદારિક-કાયયોગનું પ્રાધાન્ય હોય છે. પ્રથમ સમયે આત્મા આહારી હોય છે અને આહાર ગ્રહણ કરવા માટે ઔદારિક કાયયોગ જોઈએ જ.
બીજા સમયે કાર્મહયોગથી મિશ્ર દારિયોગ હોય છે. બીજા સમયે આત્મપ્રદેશો કપાટાકૃતિમાં બદલાય છે, આ ક્રિયામાં ધૂલ શરીરની સાથે સૂકમ શરીર પણ પ્રયત્નશીલ બને છે.
* ત્રીજા સમયે માત્ર સૂક્ષ્મ શરીર પ્રયત્નશીલ હોય છે. આત્મપ્રદેશો મંથનાકૃતિ ધારણ કરે છે. આ પ્રક્રિયામાં માત્ર કાર્મણ શરીર ઉપયોગી હોય છે. १३१. मनोवचसी तदा न व्यापारयति प्रयोजनाभावात्। काययोगस्य तु औदारिककाययोगस्यौदारिकमिश्रकाययोगस्य वा कार्मणकाययोगस्य वा व्यापारो न शेषस्य।
-भगवान् हरिभद्रसूरि: 'धर्मसारटीकायाम' १३२. पढमट्ठमसमएसु ओरालियकायजोगं जुंजइ, बिइयछट्ठसत्तमेसु समएसु ओरालियमीसगसरीकापयोगं जुजइ, तइयचउत्थपंचमेसु समएसु कम्मगसरीरकायजोगं जुंजइ।
- શ્રી પ્રજ્ઞાપનાવી|| - રૂદ્ર
For Private And Personal Use Only